2024ની ચૂંટણી બાદ PM મોદી સતત ત્રીજી વખત PM બનશે: CM હિમંતા બિસ્વા

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બનશે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) અને દેશના એકમાત્ર PM પદના ઉમેદવાર છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે, 'વર્ષ 2024માં લોકોના આશીર્વાદથી PM નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.'

PMના કાર્યાલય માટે અન્ય સંભવિત ઉમેદવારો વિશે પૂછવામાં આવતા, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ટોચના પદ માટે કોઈપણ ઉમેદવાર હોઈ શકે છે અને તેમાં કંઈ ખોટું નથી. જો કે, આ દરમિયાન તેમણે કહ્યું કે PM પદ માટે ઘણા ઉમેદવારો હોઈ શકે છે, પરંતુ માત્ર PM નરેન્દ્ર મોદી જ સતત ત્રીજી વખત PM બનશે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન BJP પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ RSS અને BJPને પોતાના ગુરુ માને છે અને તેઓ તેમને સારી તાલીમ આપી રહ્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર સરમાએ કહ્યું, 'જો તેઓ BJPને પોતાનો ગુરુ માને છે તો તેમણે નાગપુર જવું જોઈએ. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ RSS અને BJPને પોતાનો ગુરુ ન માને, પરંતુ ભારત માતાના ધ્વજને માનવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીનું નાગપુરમાં સ્વાગત છે, તેમણે ભારત માતાના ધ્વજ સામે ગુરુ દક્ષિણા આપવી જોઈએ.

રાહુલ ગાંધીએ આ શિયાળામાં જાહેર કાર્યક્રમોમાં ઊની કપડાં પહેર્યા ન હોવા અંગે, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનું ફેશન સ્ટેટમેન્ટ હતું. તેમણે કહ્યું કે, 'દેશમાં ઘણા એવા લોકો છે જે કોંગ્રેસના લાંબા શાસનને કારણે હજુ પણ ગરીબ છે. ગરીબો ધાબળા કે ઊની કપડાં ખરીદી શકતા નથી. રાહુલ પાસે બધું જ છે પણ તે પહેરતો નથી. આ રાહુલનું ફેશન સ્ટેટમેન્ટ છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું BJP અને RSSના લોકોનો આભાર માનવા માંગુ છું, કારણ કે તેઓ મને જેટલા વધુ નિશાન બનાવે છે, તેના કારણે મને મદદ મળે છે. હું ઈચ્છું છું કે તેઓ આ કામ પૂરી તાકાતથી એવી રીતે કરે કે જેથી કોંગ્રેસ પાર્ટી તેની વિચારધારાને સારી રીતે સમજી શકે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.