2024ની ચૂંટણી બાદ PM મોદી સતત ત્રીજી વખત PM બનશે: CM હિમંતા બિસ્વા

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ શનિવારે કહ્યું હતું કે, વર્ષ 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ PM નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત PM બનશે. તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (BJP) અને દેશના એકમાત્ર PM પદના ઉમેદવાર છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે, 'વર્ષ 2024માં લોકોના આશીર્વાદથી PM નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે.'

PMના કાર્યાલય માટે અન્ય સંભવિત ઉમેદવારો વિશે પૂછવામાં આવતા, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ટોચના પદ માટે કોઈપણ ઉમેદવાર હોઈ શકે છે અને તેમાં કંઈ ખોટું નથી. જો કે, આ દરમિયાન તેમણે કહ્યું કે PM પદ માટે ઘણા ઉમેદવારો હોઈ શકે છે, પરંતુ માત્ર PM નરેન્દ્ર મોદી જ સતત ત્રીજી વખત PM બનશે.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન BJP પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ RSS અને BJPને પોતાના ગુરુ માને છે અને તેઓ તેમને સારી તાલીમ આપી રહ્યા છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર સરમાએ કહ્યું, 'જો તેઓ BJPને પોતાનો ગુરુ માને છે તો તેમણે નાગપુર જવું જોઈએ. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ RSS અને BJPને પોતાનો ગુરુ ન માને, પરંતુ ભારત માતાના ધ્વજને માનવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીનું નાગપુરમાં સ્વાગત છે, તેમણે ભારત માતાના ધ્વજ સામે ગુરુ દક્ષિણા આપવી જોઈએ.

રાહુલ ગાંધીએ આ શિયાળામાં જાહેર કાર્યક્રમોમાં ઊની કપડાં પહેર્યા ન હોવા અંગે, CM હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તે ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનું ફેશન સ્ટેટમેન્ટ હતું. તેમણે કહ્યું કે, 'દેશમાં ઘણા એવા લોકો છે જે કોંગ્રેસના લાંબા શાસનને કારણે હજુ પણ ગરીબ છે. ગરીબો ધાબળા કે ઊની કપડાં ખરીદી શકતા નથી. રાહુલ પાસે બધું જ છે પણ તે પહેરતો નથી. આ રાહુલનું ફેશન સ્ટેટમેન્ટ છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું BJP અને RSSના લોકોનો આભાર માનવા માંગુ છું, કારણ કે તેઓ મને જેટલા વધુ નિશાન બનાવે છે, તેના કારણે મને મદદ મળે છે. હું ઈચ્છું છું કે તેઓ આ કામ પૂરી તાકાતથી એવી રીતે કરે કે જેથી કોંગ્રેસ પાર્ટી તેની વિચારધારાને સારી રીતે સમજી શકે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.