PMએ જણાવ્યું 9 વર્ષમાં કેવી રીતે બદલાઇ હેડલાઇન, મીડિયાને TRP વધારવા આઇડિયા આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને પોતાના કાર્યકાળ દરમિયાન દેશમાં થયેલા બદલાવોનો પણ ઉલ્લેખ કર્યો. તેમને પોતાના ભાષણમાં બદલાયેલા સમાચારોમાં, બદલાયેલા ભારતની ઝલક નજરે પડી. સાથે જ મીડિયાને TRP વધારવાનો ફોર્મ્યૂલા પણ આપ્યો હતો. મંચ પરથી બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વર્ષ 2014 અગાઉ હેડલાઇન્સ રહેતી હતી કે ‘આ સેક્ટરમાં કરોડો રૂપિયાનો કૌભાંડ. ભષ્ટાચાર વિરુદ્ધ જનતા રસ્તા પર ઉતરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે શું હેડલાઇન હોય છે? ભ્રષ્ટાચારના કેસોમાં એક્શનના કારણે ભયભીત, લામબંધ થયા, રસ્તાઓ પર ઉતર્યા. મીડિયાએ પહેલા કૌભાંડોના સમાચાર દેખાડી દેખાડીને ખૂબ TRP હાંસલ કરી છે. આજે મીડિયા પાસે અવસર છે કે ભ્રષ્ટાચારીઓ પર કાર્યવાહી દેખાડીને TRP વધારે. પહેલા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટની હેડલાઇન રહેતી હતી. નક્સલી ઘટનાઓની હેડલાઇન રહેતી હતી, આજે શાંતિ અને સમૃદ્ધિના સમાચાર વધારે આવે છે.

પહેલા પર્યાવરણના નામ પર મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકવાના સમાચાર આવતા હતા, આજે પર્યાવરણ સાથે જોડાયેલા પોઝિટિવ ન્યૂઝ સાથે જ નવા હાઇવે-એક્સપ્રેસવે બનવાના સમાચાર આવે છે. પહેલા ટ્રેનોની દુઃખદ દુર્ઘટનાઓના સમાચારો સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે. પહેલા એર ઇન્ડિયાના કૌભાંડની-બેહાલીના સમાચાર સામાન્ય વાત હતી. આજે આધુનિક ટ્રેનોની શરૂઆત હેડલાઇન બને છે.  પ્રોમિસ અને પરફોર્મન્સનો આ જ બદલાવ ઇન્ડિયા મૂવમેન્ટ લઇને આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે દેશ આત્મવિશ્વાસથી ભરેલો હોય, સંકલ્પથી ભરેલો હોય, વિદેશ પણ, દુનિયાના વિદ્વાન પણ ભારતને લઇને આશાવાન હોય, આ બધા વચ્ચે નિરાશાની વાતો, હતાશાની વાતો, ભારતને નીચું દેખાડવાની વાતો, ભારતનું મનોબળ તોડવાની વાતો પણ થતી રહે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક શુભ થાય છે તો એક કાળા ટીકા લગાવવાની પરંપરા હોય છે. તો આજે એટલું શુભ થઇ રહ્યું છે કે લોકોએ કાળા ટીકા લગાવવાની જવાબદારી લીધી છે. તે એટલે કે નજર ન લાગી જાય.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે એટલા બધા ગ્લોબલ ચેલેન્જ છે. 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સૌથી મોટું સંકટ. બે દેશ મહિનાઓથી યુદ્ધમાં છે. આખી દુનિયાની સપ્લાઇ ચેન અસ્તવ્યસ્ત છે. એ સ્થિતિમાં ઇન્ડિયન મૂવમેન્ટની વાત થવી સામાન્ય નથી. આ એક નવો ઇતિહાસ બની રહ્યો છે, જેના આપણે બધા સાક્ષી છીએ. આજે આખી દુનિયા ભારતને લઇને એક વિશ્વાસથી ભરેલી છે. આજે ભારતમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. આજે ભારત દુનિયામાં નંબર-1 સ્માર્ટફોન ડેના કન્ઝ્યૂમર છે. આજે ભારત ગ્લોબલ ફિનટેક અડોપ્શન રેટમાં નંબર-1 છે.

આજે ભારત દુનિયાનો બીજો સોથી મોટો મોબાઇલ મેન્યૂફેક્ચરર છે. આજે ભારતમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ છે. એવી કેટલીય વાતો પર ચર્ચા થતી નથી. આજકાલ દરેક દેશમાં સ્પર્ધા ચાલી રહી છે કે ભારતથી ચોરી કરવામાં આવેલી પ્રાચીન મૂર્તિઓ તેઓ પોતે જ આપણને આપે કે લઇ જાઓ. કેમ કે તેમને ભરોસો થયો છે કે હવે તેનું સન્માન એ જ સંભવ છે. આજ તો મૂવમેન્ટ છે. એ એમ જ થતું નથી. આજના ઇન્ડિયા મૂવમેન્ટની સૌથી ખાસ વાત એ છે કે આજે તેમાં પ્રોમિસ સાથે-સાથે પરફોર્મન્સ જોડાઇ ગયું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.