યુનિફોર્મ સિવિલ કોડ પર PM મોદીનું મોટું નિવેદન, જૂઓ વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ સમાન નાગરિક ધારા પર મોટું નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે વિપક્ષોને પણ આડે હાથે લીધા છે.

PM મોદીએ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટું નિવેદન આપ્યું છે. PM મોદીએ સ્પષ્ટ કહ્યું કે એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે. વડાપ્રધાને કહ્યું કે બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે. તેમણે  વિપક્ષ પર આડકતરું નિશાન સાધાને કહ્યું કે, કેટલાક લોકો યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમેરિકાના પ્રવાસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ પર મોટું નિવેદન આપ્યું છે.PM મોદીએ કહ્યું કે દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,સુપ્રીમ કોર્ટે વારંવાર યુનિફોર્મ સિવિલ કોડ બનાવવા માટે કહ્યું છે. PM મોદીએ પસમંદા મુસ્લિમો પર પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજકારણે પસમંદા મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.PM મોદીએ કહ્યું કે કેટલાક લોકો મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુસ્લિમ વોટ બેંકની સાથે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. મુસલમાનોને નાગરિક સંહિતાના નામે ભડકાવવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ હવે ત્રિપલ તલાક બંધ થઇ ચૂક્યા છે. તેમણે આગળ કહ્યુ કે, ત્રિપલ તલાક એ મુસલમાન દીકરીઓ સાથે અન્યાય છે. PM મોદીએ કહ્યું કે જે લોકો ત્રિપલ તલાકની તરફેણ કરી રહ્યા છે તે વોટ બેંકના ભૂખ્યા છે.તેઓ મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યા છે. ત્રિપલ તલાક આખા પરિવારને નષ્ટ કરી નાંખે છે. PM મોદીએ કહ્યું  કે,તાજેતરમાં, હું ઇજિપ્તમાં હતો તેમણે લગભગ 80-90 વર્ષ પહેલાં ત્રિપલ તાલક તલાક નાબૂદ કરી દીધા છે.

PM મોદીએ વિપક્ષી એકતા પર પણ પ્રહારો કર્યા.PM મોદીએ કહ્યું કે આ લોકો જુગલબંધી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે,વિપક્ષ કૌભાંડોની ખાતરી આપી શકે છે.PM મોદીએ કહ્યું કે વિરોધ પક્ષોને કૌભાંડોનો અનુભવ છે. વિરોધ એ ભ્રષ્ટાચારની ગેરંટી છે. તેમણે RJD, TMCના કૌભાંડો ગણ્વ્યા હતા. તેમણે કહ્યું કે હું તમામ કૌભાંડીઓ અને ગરીબોને લૂંટનારાઓ સામે કાર્યવાહીની ખાતરી આપું છું. તેમણે કહ્યું કે દેશને લૂંટનારાઓનો ચોક્કસ હિસાબ થશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.