PM મોદીએ કેમ કહ્યું કેટલીક પાર્ટી મોદીના મરવાની રાહ જોઇ રહી છે

મેઘાલય વિધાનસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તુરામાં શુક્રવારે કોંગ્રેસ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસને તો મેઘાલયની યાદ માત્ર ચૂંટણી દરમિયાન જ આવતી હતી. તેઓ તમારા હક્કના પૈસા લૂંટી લેતા હતા. કોંગ્રેસ માટે મેઘાલય ATM છે. ભાજપ જાતિ-ધર્મના આધાર પર ભેદભાવ કરતી નથી. અમારી સરકાર કેરળના ઇસાઇ ધર્મની નર્સને ઇરાકથી આતંકવાદીઓના કબજામાંથી બચાવીને લાવી. અમે ઇસાઇ ધર્મ સહિત દરેક માટે કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલય સહિત આખા નોર્થ ઇસ્ટના વિકાસ માટે અમે જૂના વિચાર અને અપ્રોચને બદલી દીધો છે. કોંગ્રેસની સરકારોએ આ હિસ્સાને દેશનો છેલ્લો હિસ્સો માની લીધો હતો, જ્યારે ભાજપ નોર્થ ઇસ્ટને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન માને છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે કૌભાંડ અને ભ્રષ્ટાચારથી મુક્તિ છે. રાજ્યમાં ભાજપ સરકાર એટલે કે ગરીબોનું પાકું ઘર, વીજળી અને પાણી આપનારી સરકાર છે. મેઘાલયમાં ભાજપ સરકાર એટલે કે અહીંની મહિલાઓ, બહેનો અને દીકરીઓની પરેશાનીઓ ઓછી કરનારી સરકાર છે.

આ બધુ જોઇને અહીંના લોકોએ નક્કી કર્યું છે કે દિલ્હી અને શિલોંગ બંને જગ્યા પર ભાજપની સરકાર હોવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 9 વર્ષોમાં નોર્થ ઇસ્ટના બજેટમાં ઘણો બધો વધારો કર્યો છે. અમે સૌનો સાથ, સૌના વિશ્વાસને ધ્યાનમાં રાખતા કામ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇશારામાં સંગમા સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, રાજ્યમાં ન તો રસ્તા બન્યા છે, ન શાળા-કોલેજ અને ન તો હૉસ્પિટલ બની છે. અહીંના યુવાનો કહી રહ્યા છે કે ભરતીઓમાં ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદ છે.

ભાજપે મેઘાલયની બધી સીટો પર પહેલી વખત ઉમેદવાર ઉતાર્યા છે. જ્યાં 27 ફેબ્રુઆરીના રોજ નાગાલેન્ડ સાથે મતદાન થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેઘાલયના હિતોને બધી પ્રાથમિકતા આપવામાં આવી નથી. તમને નાના નાના મુદ્દા પર વહેંચવામાં આવ્યા. આ રાજનીતિએ તમારું ખૂબ નુકસાન કર્યું છે, અહીંના યુવાનોનું ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદને લઇને પણ પ્રહાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, મેઘાલયને વંશવાદી રાજનીતિથી મુક્ત થવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને એમ કહેતા ખુશી થઇ રહી છે કે મેઘાલય અને પૂર્વોત્તરની જનતા કમળ અને ભાજપ સાથે છે. મેઘાલયને ‘પરિવાર પ્રથમ’ સરકારની જગ્યાએ ‘જન પ્રથમ’ સરકારની જરૂરિયાત છે. યુવાનો હોય, મહિલાઓ હોય, વેપારી હોય, સરકારી કર્મચારી હોય, દરેક ભાજપ સરકારની માગ કરી રહ્યું છે. મેઘાલય સાથે સાથે ઉત્તર પૂર્વમાં ભાજપના સમર્થનની ભાવના કેટલાક પરિવારોના સ્વાર્થી કાર્યોનું પરિણામ છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.