PM મોદી અને CM યોગીની બહેનોની મુલાકાત, ઓળખી બતાવો કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બહેન વાસંતીબેન મોદી તેમના પતિ હસમુખ અને અન્ય લેકો નીલકંઠ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. એ પછી વાસંતીબેન કોઠાર ગામમાં આવેલા પાર્વતી મંદિર ગયા હતા. અહીં તેમણે મંદિર પરિસરમાં સંચાલિક દુકાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશિ દેવી સિંહ સાથે મુલાકાત  કરી હતી. બંને બહેનોના ચહેરા પર ખુશી છળકી ઉઠી હતી.

શ્રાવણ મહિનામાં તીર્થધામ ઋષિકેશની બાજુમાં આવેલા પૌડીના નીલકંઠ મંદિરમાં શિવના ભક્તો ઉમટી પડે છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વાસંતીબહેન તેમના પતિ હસમુખભાઇ અને અન્ય લોકો સાથે દર્શન કરવા પહોંચ્યા હતા.

એ પછી વાસંતીબહેન કોઠાર ગામમાં આવેલા પાર્વતી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેમણે મંદિર પરિસરમાં આવેલી દુકાનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી સિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમના પરિવારના હાલચાલ પુછ્યા હતા. તેમની વાયરલ થયેલી તસ્વીરો પરથી અંદાજ આવે છે કે દેશના બે મહત્ત્વના નેતાઓની બહેનો એકબીજાને મળીને એકદમ પ્રસન્ન નજરે પડી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બંનેના પરિવારો એકદમ સાદાઇથી રહે છે. દેશના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો પરિવાર હોય તો ભારે ઠાઠમાઠ જોવા મળે, પરંતુ આ બંને નેતાઓના પરિવારો જાહેરમાં ભાગ્યેજ જોવા મળે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો 21 વર્ષની ઉંમરે પરિવારને છોડીને ગોરખપુર ચાલ્યા ગયા હતા અને સંન્યાસ લીધા પછી તેમનું નામ અને સ્થળ બદલી નાંખ્યા હતા. ઉત્તરાખંડના પંચૂર ગામના અજય બિષ્ટ યોગી આદિત્યનાથ થઇ ગયા.

ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં રહેતા યોગી આદિત્યનાથ 4 ભાઇઓ અને 3 બહેનોમાં બીજા નંબરના ભાઇ છે. યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના એક નાનકડા ગામ પંચૂરમાં થયો હતો. અત્યારે યોગી આદિત્યનાથ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે.

ગયા વર્ષે યોગી આદિત્યનાથ ઉત્તરાખંડમાં તેમના વતન ગામ પંચુર પહોંચ્યા હતા. ગામમાં પહોંચતાની સાથે જ તેમણે માતાના આશીર્વાદ લીધા હતા. આ પછી તે ગામના લોકોને મળ્યા હતા.દરમિયાન, CM યોગીના બહેન શશીએ કહ્યું હતું કે બધા ખૂબ ખુશ છે. દરેક વ્યક્તિ આવીને તેને મળવા આવે છે. તેમની પાસેથી આશીર્વાદ લઇ રહ્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.