કવિ મુનવ્વર રાણાના ઘરે થઇ ચોરી, ચોરો 40 લાખ રૂપિયાના દાગીના ચોરી ગયા

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાના ઘરે ચોરી થયાના સમાચાર છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. હાલમાં મુનવ્વર રાણા હોસ્પિટલમાં ઈલાજ માટે દાખલ છે ત્યારે ચોરીની આ ઘટના બની છે. પરિવારના સભ્યો તેમની સારવાર માટે હોસ્પિટલમાં છે. મીડિયા સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ, ચોરોએ તેમના ઘરમાં રાખેલા લગભગ 40 લાખના દાગીનાની ચોરી કરીને લઇ ગયા હતા. પોલીસે આ મામલે FIR નોંધી લીધી છે. પોલીસ ચોરોની તલાશ કરી રહી છે.

મુનવ્વર રાણા લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં F.I. ઢીંગરા એપાર્ટમેન્ટમાં ફ્લેટની અંદર રહે છે. તબિયત સારી ન હોવાને કારણે મુનવ્વર રાણાને PGIમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ચોરાયેલી જ્વેલરી મુનાવર રાણાની પુત્રી ફૌઝિયાના છે. વાસ્તવમાં મુનૌવર રાણાની પુત્રી ફૌઝિયા રાણા બિહારમાં તેના સાસરિયાના ઘરેથી અહીં તેના પિતાની તબિયત સારી ન હોવાથી તેમને જોવા માટે આવી હતી અને પોતાની સાથે તેના કેટલાક ઘરેણાં પણ લઇ આવી હતી. તેણે દાગીના એક થેલીમાં ભરીને સ્ટોર રૂમમાં રાખ્યા હતા. ત્યાર પછી તેણે ઘરેણાં જોયા તો તે ગાયબ હતા અને માત્ર ખાલી બોક્સ જ પડ્યા હતા. આ મામલે DCP સેન્ટ્રલ ઝોન અપર્ણા કૌશિકનું કહેવું છે કે, ચોરીની ફરિયાદ નોંધી લેવામાં આવી છે. CCTV ફૂટેજ અને લોકોની પૂછપરછના આધારે ચોરોની શોધ કરવામાં આવી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, મુનવ્વર રાણાની તબિયત ઘણા સમયથી સારી નથી. મે મહિનામાં પણ તેમની તબિયત અચાનક લથડી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ આ જ રીતે તેમની તબિયત બગડી હતી. આ પછી તેને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુનવ્વર રાણા કિડનીની સમસ્યાને કારણે ડાયાલિસિસ કરાવી રહ્યા છે. આ અગાઉ તેમની દિલ્લીમાં પણ સારવાર થઈ હતી.

મુનવ્વર રાણા પ્રખ્યાત શાયર અને કવિ છે. તેઓ ઉર્દૂ ઉપરાંત હિન્દી અને અવધી ભાષાઓમાં લખે છે. તેમને ઉર્દૂ સાહિત્ય માટે 2014નો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2012માં, તેમને શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રતન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. જો કે, તેમણે લગભગ એક વર્ષ પછી એકેડેમીને એ એવોર્ડ પરત કર્યો હતો. ઉપરાંત, આ સાથે જ, વધતી જતી અસહિષ્ણુતાને ટાંકીને, તેમણે ક્યારેય સરકારી એવોર્ડ નહિ સ્વીકારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.