લોરેન્સને દિલ્હીની જેલમાં રાખવા પોલીસ તૈયાર નથી, કોર્ટમાં આપ્યું કારણ

દિલ્હી કોર્ટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસ કસ્ટડી 14 જૂન સુધી વધારી દીધી છે. જ્યારે, દિલ્હી જેલ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે, કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, ગેંગસ્ટરની કસ્ટડી પૂર્ણ થયા પછી, તેને શહેરની કોઈપણ જેલમાં ન રાખવામાં આવે. આ જ કારણ છે કે જેલ પ્રશાસન માંગ કરી રહ્યું છે કે તેને દિલ્હીની કોઈપણ જેલમાં રાખવાને બદલે તેને સીધા પંજાબની જેલમાં મોકલી આપવામાં આવે. આ માટે દિલ્હી જેલ પ્રશાસને કોર્ટમાં અરજી કરી છે. તેની નોંધ લેતા કોર્ટે ગેંગસ્ટરને તેની કસ્ટડી પૂરી થયા બાદ ભટિંડા જેલમાં સોંપવા પણ કહ્યું છે.

વાસ્તવમાં, લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. અહીંથી તેને ગુજરાત પોલીસ દ્વારા ફોજદારી કેસની તપાસ માટે અટકાયતમાં લીધો હતો અને ગુજરાતની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. અહીંથી જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં લોરેન્સને એક કેસના સંદર્ભમાં કસ્ટડીમાં લીધો હતો અને તેને દિલ્હીમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટે ગેંગસ્ટરને રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

રવિવારે, 11 જૂને, લોરેન્સને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે પોલીસની માંગને સ્વીકારીને 14 જૂન સુધી કસ્ટડી લંબાવી હતી. આ સાથે, દિલ્હી જેલ પ્રશાસનની એ માંગ પણ સ્વીકારવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગેંગસ્ટરની કસ્ટડી પૂર્ણ થયા બાદ તેને સીધો ભટિંડા જેલમાં મોકલી આપવામાં આવે. આ દરમિયાન કોર્ટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો છે.

દિલ્હી પોલીસે પોતાની અરજીમાં લખ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈના દિલ્હી જેલમાં રહેવાથી કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. લોરેન્સને પહેલા NIA દ્વારા ભટિંડા જેલમાંથી, પછી ગુજરાત પોલીસ દ્વારા અને હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આથી એજન્સીઓએ જે જેલમાંથી બિશ્નોઈને કસ્ટડીમાં લીધા હતા, તેને સીધો તે જેલમાં મોકલવો જોઈએ, દિલ્હી જેલમાં નહીં.

તેને દિલ્હીની મંડોલી જેલમાં મોકલવાનો કોઈ અર્થ નથી. અહીં લોરેન્સનો જીવ જોખમમાં પણ હોઈ શકે છે. ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલા તેના લોકો અને વિરોધી ગેંગના લોકો જેલમાં બંધ છે.

અહીં તમને જણાવી દઈએ કે, તાજેતરમાં દિલ્હીની તિહાર જેલમાં અનેક ગેંગ વોરમાં થયેલી હત્યાઓને કારણે તિહાર પ્રશાસન પર ઘણા ગંભીર સવાલો ઉભા થયા છે. તપાસ એજન્સીઓએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ પર તિલ્લુ તાજપુરિયાની હત્યાનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવી શકે છે. દિલ્હી જેલ પ્રશાસન આ અંગે પહેલાથી જ એલર્ટ છે અને કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી.

લોરેન્સ બિશ્નોઈની ગેંગ હવે દિલ્હી, પંજાબ, UP, ઝારખંડ, હરિયાણા, રાજસ્થાનમાં ફેલાઈ ગઈ છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ તેની ગેંગને જેલમાંથી ચલાવે છે જ્યારે ગોલ્ડી બરાડ કેનેડામાંથી ઓપરેટ કરે છે. આ સિવાય અમેરિકાના લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ અને અઝરબૈજાનના લોરેન્સના ભત્રીજા સચિન બિશ્નોઈ બિશ્નોઈ ગેંગનું સંચાલન કરી રહ્યા છે અને ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલિવૂડના ફેમસ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની સતત ધમકી આપીને ચર્ચામાં છે. તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAએ લોરેન્સ બિશ્નોઈને લઈને મોટો ખુલાસો કર્યો હતો. NIA અનુસાર, લોરેન્સે ટોપ 10 ટાર્ગેટ બનાવ્યા છે, જેમાં સલમાન ખાન નંબર વન છે. આ યાદીમાં પંજાબી સિદ્ધુ મુસેવાલાના મેનેજરનું નામ પણ સામેલ છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કબૂલાત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સમક્ષ સામે આવી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.