મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ? NCPના 20, ઉદ્ધવના 13 MLA સંપર્કમાં: CM શિંદે જૂથ

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે દાવો કર્યો છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથના 13 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 20 ધારાસભ્યો શિવસેના (CM એકનાથ શિંદે જૂથ)ના સંપર્કમાં છે. ઉદય સામંતે વધુમાં જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહાબળેશ્વરમાં CM શિંદે સાથે ગુપ્ત બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યના રાજકારણમાં ઘણી અસ્થિરતા છે.

દરમિયાન, શિવસેના (UBT) મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 100 બેઠકો જીતવા માટે પ્રયત્નશીલ છે, તેના નેતા અને MLC અંબાદાસ દાનવેએ ગુરુવારે મીડિયાના સૂત્રોને જણાવ્યું હતું. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા દાનવેએ મીડિયાને સૂત્રોને જણાવ્યું હતું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી બીજા સ્થાને રહે તેવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિજેતા ઉમેદવારોને શોધવાની યોજના છે.

અવિભાજિત શિવસેનાએ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ગઠબંધનમાં લડી હતી. ત્યારે BJPએ 100થી વધુ બેઠકો જીતી હતી. 288 સભ્યોના ગૃહમાં બંને પક્ષોને મળીને 150થી વધુ બેઠકો મળી છે. પરંતુ શિવસેનાએ ચૂંટણી પછી BJPને છોડીને NCP અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડી ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના CM બન્યા.

જો કે, CM એકનાથ શિંદેના બળવાને પગલે ગયા વર્ષે જૂનમાં શિવસેનાનું વિભાજન થયું હતું, જેણે ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ અઘાડી સરકારને પાડી દીધી હતી. દાનવેએ કહ્યું, 'અમે એ બેઠકો માટે યોગ્ય ઉમેદવાર શોધી રહ્યા છીએ જે CM એકનાથ શિંદે જૂથમાં જોડાયેલા ધારાસભ્યો પાસે હતા. આ ઉપરાંત, મરાઠવાડાની 27 બેઠકોની જેમ, જ્યાં અમે બીજા ક્રમે હતા. અમે આવી બેઠકો પર પુરી તાકાતથી ચૂંટણી લડવાનું આયોજન કરી રહ્યા છીએ.'

તેમણે દાવો કર્યો હતો કે, CM એકનાથ શિંદે સરકાર અનિશ્ચિત સ્થિતિમાં છે, કારણ કે શિવસેનાનો સમર્થન આધાર ઉદ્ધવ ઠાકરેની સાથે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર અને BJP સાથેની તેમની નિકટતા અંગેની અટકળોનો ઉલ્લેખ કરતાં, શિવસેના (UBT) MLCએ કોઈપણ પક્ષનું નામ લીધા વિના કહ્યું કે, કોઈપણ શાસક પક્ષ (BJP) અન્ય પક્ષોને તોડવાનો પ્રયાસ નહીં કરશે. જો સરકાર સ્થિર હશે તો. દાનવેએ દાવો કર્યો, 'એવી સ્થિતિ છે કે CM એકનાથ શિંદેને CM પદ પરથી રાજીનામું આપવું પડી શકે એમ છે.'

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.