UPમાં ઉંદર બાદ સાપનું પોસ્ટમોર્ટમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક યુવક દ્વારા સાપને મારી નાખવાનો મામલો સામે આવ્યો છે. બાડૌત નગરના છપરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના શબગા ગામમાંથી સામે આવેલી આ ઘટના બાદ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાપના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેને માર મારીને તેની હત્યા કરવામાં આવી છે.

પોસ્ટમોર્ટમ બાદ સાપનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ સાપને મારનાર યુવકને શોધી રહી છે. સાથે જ સાપને માર્યા બાદ કેસ નોંધવા અને સાપના પોસ્ટમોર્ટમ થવાના કારણે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ 7 જાન્યુઆરીની સાંજે શબગા ગામમાં ખાલી પ્લોટમાં એક અજાણ્યા યુવક દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સાપને માર્યા બાદ જ્યારે તે તેને લાકડી પર લટકાવીને ક્યાંક લઈ જઈ રહ્યો હતો ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો વીડિયોને તપાસ માટે મોકલવામાં આવ્યો. આ સાથે સાપના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલે વન વિભાગના SDO આનંદ પુષ્કરે જણાવ્યું કે 8 જાન્યુઆરી 2023ના રોજ અમારી સામે એક કેસ આવ્યો હતો. જેમાં એક સાપને માર્યાની માહિતી મળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અમારી ટીમે મૃત સાપનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ સાથે અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. કેસની તપાસ હજુ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે UPના બદાયૂંમાં એક ઉંદરના પોસ્ટમોર્ટમનો મામલો સામે આવ્યો હતો. બદાયૂંમાં, જ્યારે એક પ્રાણી પ્રેમીને ખબર પડી કે એક વ્યક્તિએ ઉંદરને માર્યો છે, ત્યારે તેણે ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ બદાયૂં પોલીસ સ્ટેશનમાં ઉંદર મારવાનો કેસ નોંધાવ્યો. જે બાદ પોલીસે ઉંદરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે ઉંદરનું મૃત્યુ ગટરમાં ડૂબી જવાથી નથી થયું. પણ તેના ફેફસા ઘણા બગડી ગયા હતા જેના લીધે ગૂંગળામણને કારણે તેનું મોત થયું હતું. આ કેસમાં, બદાયૂંમાં ઉંદર માર્યાનો નામ નોંધીને કેસ નોંધવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.