અતીક-અશરફની હત્યા વિપક્ષે કરાવી, રહસ્ય ખુલી જવાનો ડર હતો:યોગીના મંત્રીનું નિવેદન

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફિયા અતીક અહમેદ અને તેના ભાઇ અશરફની હત્યા પછી રાજકારણમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. એ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી સરકારના એક મંત્રીએ વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે શનિવારે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, માફીયા અતીક અને અશરફની હત્યા વિપક્ષે કરાવી છે, કારણકે તેમને ડર હતો કે તેમના રાઝ ખુલી જશે. ગયા સપ્તાહમાં અતીક અને અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તેમની જાહેરમાં હત્યા થઇ હતી.

અતીક અહેમદ અને અશરફની હત્યામાં ભાજપના નેતા ધર્મપાલ સિંહે વિપક્ષ પર મોટો આરોપ લગાવ્યો છે. ધરમપાલ સિંહે શનિવારે કહ્યું હતું કે, અતીક અહેમદની હત્યા વિપક્ષ દ્વારા કરવામાં આવી છે, કારણ કે આતિક દ્વારા વિપક્ષના ઘણા રહસ્યો ખુલવાના હતા. આથી તેમણે અતીકની હત્યા કરાવી હતી.

યોગી સરકારના મંત્રી ધર્મપાલ સિંહ શનિવારે ચંદોસીમાં હતા. તેમણે કહ્યુ કે, વિપક્ષી નેતાઓના કેટલાંક ગંભીર રહસ્યો અતીક અહમદ પાસે હતા. એ ખુલી જવાનો વિપક્ષને ડર હતો એટલે તેમણે અતીકની હત્યા કરાવી નાંખી છે.તેમણે અગાઉની સરકારો પર આરોપ લગાવતા કહ્યુ કે, પહેલાની સરકારોમાં પોલીસ અધિકારીઓ માફિયા અતીકના આંતકથી ખુરશીમાંથી ઉભા થઇ જતા હતા. ન્યાયાધીશો અતીકના કેસની સુનાવણીનો ઇન્કાર કરી દેતા હતા. પરંતુ યોગી સરકારે માફીયાને પગે પાડી દીધો હતો.

આ પહેલા ઉન્નાવમાં અતીકના પુત્ર અસદના એન્કાઉન્ટર પર ધર્મપાલ સિંહે કહ્યું હતું કે આજે અતીકના પુત્ર અસદ અને તેના ગુનેગારોને માર્યા જવાથી સમગ્ર યુપીમાં ખુશીની લહેર છે. તેમણે કહ્યું કે યોગી સરકારનું મોડલ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત થઈ રહ્યું છે અને લોકો યોગીની જેમ સરકાર ચલાવવાની માંગ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર અને માફીયા અતીક અહમદે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી હતી અને એક મીડિયા રિપોર્ટ મુજબ તેની પાસે 11000 કરોડની સંપત્તિ હતી. થોડા દિવસો પહેલા અતીકના પુત્ર અસદનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. એના પછી અતીક અને તેના ભાઇ અશરફની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. સાબરમતી જેલમાંથી અતીકને પ્રયાગરાજમાં એક કેસમાં લાવવામાં આવ્યો હતો તે વખતે પોલીસ મેડિકલ ટેસ્ટ માટે અતીકને લઇને ગઇ હતી. અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ફાયરીંગમાં અતીક- અશરફની ઢીમ ઢળી ગયા હતા.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.