'પ્રાણનાથ હું આવી રહી છું...', શિવરંજની બાંદાથી બાગેશ્વર ધામ જવા નીકળી

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાનું સપનું જોતી એક MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારી શનિવારે બાંદાથી બાગેશ્વર જવા રવાના થઈ ગઈ છે. તે 16 જૂને બાગેશ્વર ધામ પહોંચશે. પરંતુ જ્યારે શિવરંજનીને ખબર પડી કે બાબા 15 જૂન પછી એકાંતવાસમાં જવાના છે, ત્યારે તે થોડી પરેશાન દેખાઈ હતી. જ્યારે મીડિયાના સૂત્રોએ તેની સાથે આ અંગે વાત કરી તો શિવરંજનીએ કહ્યું કે, હું તેની ભક્તિમાં અવરોધ બનવા માંગતી નથી.

તેણે આશા વ્યક્ત કરી કે તે બાબાને ચોક્કસ મળશે. કહ્યું કે બાબા બાગેશ્વર ધામમાં ક્યારેય કોઈ નિરાશ થઈને પાછું નથી આવ્યું. ત્યાં દરેકને સાંભળવામાં આવે છે. તેમણે કવિતા દ્વારા કહ્યું હતું કે ‘મન મેં બસાકર તેરી મૂર્તિ, ઉતારુ મેં પ્રાણનાથ તેરી આરતી.’

આગળ શિવરંજનીએ કહ્યું કે, અમે ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ આવી રહ્યા છીએ. આ લગભગ 1300 કિલોમીટરની પગપાળા યાત્રા છે. અમે લગભગ મુકામની નજીક પહોંચી ગયા છીએ. અમે બધાએ 50 ડિગ્રી તાપમાનમાં પણ પદયાત્રા કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને મારી બાલાજી સરકારમાં 100% વિશ્વાસ છે કે, જે પણ તેમના દરબારમાં આવે છે તે ક્યારેય નિરાશ થતો નથી. તેમણે આગળ બીજી એક શાયરી કરતા કહ્યું કે, 'હૃદયની હાકલ ક્યારેય નિરર્થક જતી નથી. જો હૃદયથી કરવામાં આવે તો પ્રભુ તેને અવશ્ય સ્વીકારે છે. હે મારા પ્રાણનાથ... અંતર્યામી... પ્રભુ મને દર્શન આપજો, હું પહોંચી રહી છું....'

અહીં તમને જણાવી દઈએ કે, 20 વર્ષની શિવરંજની આ દિવસોમાં હેડલાઈન્સમાં બની રહેલી છે. તે પોતાની ઈચ્છાનો કલશ લઈને બાગેશ્વર જઈ રહી છે. આ સાથે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કહી રહ્યા છે. બીજી તરફ બાબા બાગેશ્વર તેને દીકરી કહી રહ્યા છે. જ્યારે શિવરંજનીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તે આવા કોઈ નિવેદનથી વાકેફ નથી.

આ સાથે જ 'ધીરેન્દ્ર શાસ્ત્રીએ લગ્ન કરવાની ના પાડી, તો તમે શું કરશો'ના સવાલ પર હસતાં હસતાં કહ્યું કે, 'મેં ક્યારેય એવું નથી કહ્યું કે, હું લગ્ન કરવા જઈ રહી છું, કે લગ્નનો પ્રસ્તાવ લઈને જઈ રહી છું. હું તો તેમને પ્રાણનાથ બોલું છું. તેઓ મારા પ્રાણનાથ છે, આગળ પણ રહેશે જ. હું તેમને ભગવાન માનું છું. તેથી જ હું તેમને પ્રાણનાથ કહું છું. હું 16 જૂને તેમના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયત્ન કરું છું, પરંતુ ગરમી ખૂબ જ છે, તેથી એક-બે દિવસ આગળ-પાછળ થઇ શકે છે.'

આ પછી તેણે લગ્નના ઈનકાર પર શાયરીના અંદાજમાં કહ્યું, 'ઈધર સે પ્રેમ ચલા, ઉધર સે પ્રાણ સીધારે. બંને એક મંદિરના દરવાજા પર મળ્યા, જ્યારે બંનેએ એકબીજાને અપનાવ્યા, ખબર નહીં કોણ કોનામાં સમાઈ ગયું. પ્રેમ તત્વના સિંધુમાં જ્યારે પ્રાણ બિંદુ ખોવાઈ ગઈ, અલખ નિરંજન છોડીને પાંચ તથ્યોમાં ખોવાઈ ગયા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.