બાળકને જન્મ આપવા હોસ્પિટલ જતી હતી મહિલા, અકસ્માતમાં બાળક-માતાનું મોત, પતિ ગંભીર

ટોંકમાં કોટા-જયપુર નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક પર બેઠેલી સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે પતિનો આબાદ બચાવ થયો હતો. પતિ ગંભીર હાલતમાં પત્નીને સઆદત હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિજનોને સોંપી હતી.

ટક્કર બાદ પતિ ફૂટપાથ તરફ અને પત્ની રોડ પર પડી હતી. વાહન મહિલાના પેટ અને માથું કચડીને બહાર નીકળી ગયું હતું. માયા અને તેના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. પરિવાર નવા મહેમાનના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત હતો અને અહીં માતા અને બાળક બંનેના મોતના સમાચાર ઘરે પહોંચ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મહેંદવાસ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોહરપુરામાં રહેતી માયા (35) પત્ની બંશીલાલ બૈરવા ગર્ભવતી હતી. તે 1-2 દિવસમાં ડિલિવરી કરવાની હતી. સોમવારે મોડી સાંજે પ્રસુતિની પીડાને કારણે પતિએ તેને જનાના હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ બેડ ન મળતાં તે પતિ સાથે ગામ પાછી ચાલી ગઈ હતી. મંગળવારે સવારે બંને બાઇક પર હોસ્પિટલ આવી રહ્યા હતા. દરમિયાન ઉસ્માનપુરા કટ પાસે સવારના 10 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહને પાછળથી બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પતિ તો બચી ગયો હતો, પરંતુ પત્નીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. પતિ તેને ગંભીર હાલતમાં સઆદત હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી.

મૃતક માતા માયાને 11 વર્ષનો પુત્ર દીપક અને તેની નાની 9 વર્ષની પુત્રી રોશની એમ બે બાળકો હતા અને ત્રીજા બાળકના સ્વાગતની તૈયારી કરતા હતા.

મહેંદવાસ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિઝામ મોહમ્મદે જણાવ્યું કે, પતિ બંશીલાલ બૈરવા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મહિલાની પ્રેગ્નન્સીના પુરા દિવસો જતા હોવાને કારણે પોસ્ટમોર્ટમ દરમિયાન મૃત બાળક (છોકરી)ને તેના ગર્ભમાંથી કાઢીને બંનેના મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

મૃતકના કાકા સસરા બનવારીલાલ બૈરવાએ જણાવ્યું કે, બંશીલાલ અને તેની પત્ની સવારે ખુબ ખુશીમાં ઘરેથી નીકળ્યા હતા. કારણ કે માયાની ડિલિવરી મંગળવારે થવાની હતી. પરંતુ અજાણ્યા વાહનની સ્પીડ વધુ હોવાથી પરિવારજનોની ખુશી દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. કારણ કે બંશીલાલની પત્ની તેમજ તેના ગર્ભસ્થ બાળકનું પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સગર્ભા નવજાત પુત્રી અને તેની માતાનો મૃતદેહ ઘરે પહોંચતા હૈયાફાટ રુદનનો માહોલ સર્જાયો હતો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.