પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ આ બીમારીના કારણે ફેલ થઈ ગઈ છે

વૃંદાવનથી દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા પ્રેમાનંદજી મહારાજ પોતાના વિચારો માટે જાણીતા છે. તેઓ સવારે 02:00 વાગ્યે પરિક્રમા માટે નીકળી પડે છે. ત્યારબાદ સવારે 04:00 વાગ્યાથી ભજન સત્સંગ શરૂ કરે છે. પ્રેમનંદજી મહારાજના સત્સંગ અને વિચારોને સાંભળવા લોકોની ભારે ભીડ જમા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના વીડિયો ખૂબ જોવામાં આવે છે. પ્રેમાનંદજી મહારાજના ફેન્સની સંખ્યા પણ કરોડોમાં છે. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે પ્રેમાનંદજી મહારાજ મહારાજનો સત્સંગ સાંભળવા માટે એક્ટ્રેસ અનુષ્કા શર્મા, ક્રિકટર વિરાટ કોહલીથી લઈને સિંગર બીપ્રાક સુધી પહોંચી ચૂક્યા છે.

લોકો બાબાની દિનચર્યા જ નહીં, તેમની જીવનશૈલી અને બીમારીને જોઈને દંગ રહી જાય છે. તેના કારણે પ્રેમાનંદજી મહારાજની બંને કિડનીઓ ખરાબ થઈ ગઇ છે. તેમને કિડની સાથે સંબંધિત ખૂબ જ ભયંકર બીમારી છે, જેના કારણે યુવાવસ્થામાં જ તેમની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ. જ્યાં કોઈ સામાન્ય વ્યક્તિ કિડની વિના એક વર્ષ પણ સ્વસ્થ રાખી શકતું નથી, ત્યાં છેલ્લા 18 વર્ષોથી પ્રેમાનંદજી મહારાજ કિડની વિના પોતાના દૈનિક કાર્ય પોતે કરે છે.

તેઓ માત્ર 4 કલાકની ઊંઘ લે છે. વૃંદાવનની પરિક્રમા લગાવવા સાથે જ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એવામાં લોકો જાણવા માગે છે કે આખરે પ્રેમાનંદજી મહારાજને કઈ એવી બીમારી હતી જેના કારણે બંને કિડની ખરાબ થઈ ગઈ. પ્રેમાનંદજી મહારાજને ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝ છે. વિશેષજ્ઞોનું માનીએ તો આ બીમારી જેનેટિક હોય છે. આ બીમારી 30-50 વર્ષની ઉંમર વચ્ચે ઊભરી જાય છે. આ બીમારી કિડનીની ગંભીર બીમારીઓમાંથી એક હોય છે. તે માતા-પિતામાંથી બાળકોમાં આવે છે.

આ બીમારીથી કિડનીની સાઇઝ મોટી થવા લાગે છે. તેમાં સિસ્ટ એટલે કે પાણી અને ગાંઠો બની જાય છે. આ ગાંઠો ધીરે-ધીરે વધતી જાય છે. તેના કારણે ધીરે-ધીરે કિડની કામ કરવાનું બંધ કરી દે છે. તેને કિડની ફેલ્યોર થઈ જાય છે. કિડની પૂરી રીતે કામ કરવાનું બંધ કરી દે છે. એવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને ડાયાલિસિસ પર રાખવી પડે છે. વિશેષજ્ઞો બતાવે છે કે ઓટોસોમલ ડોમિનેન્ટ કિડની ડીસીઝ 1000માંથી માત્ર એક સભ્યને થાય છે. તે બાળપણથી હોતી નથી. ઉંમર વધવા સાથે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. જો તેના દર્દીઓની વાત કરીએ તો આખા પોપ્યુલેશનમાં ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડનીના માત્ર 5 ટકા દર્દી જ જોવા મળે છે. આ બીમારીના દર્દીઓનું જીવન ખૂબ મુશ્કેલ હોય છે.

આ બીમારીના લક્ષણ:

ઓટોસોમલ ડોમિનેન્ટ પોલિસિસ્ટિક કિડની ડિસિઝમાં પીઠ અને પેટના નીચલા હિસ્સામાં દર્દ શરૂ થઈ જાય છે. તેમાં UTI હાથ-પગો સાથે જ આંખોમાં સોજો, શ્વાસ ફૂલવાની સમસ્યાથી લઈને પાંચન સંબંધિત ગરબડી થાય છે. લોહીની કમી થવા લાગે છે. આ બીમારીમાં સ્કીન પણ ઇફેક્ટ થાય છે. સ્કિનનો કલર ચેન્જ થવા લાગે છે. તેના કારણે સ્કીન પર કાળાશ, અનાવશ્યક નબળાઈ, થાક સાથે પગોમાં દુઃખાવો અને વારંવાર ટોયલેટ આવે છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.