પહેલા જેલ તોડીને ભાગ્યો, પછી વિઝિટર બનીને સાથીને મળવા પહોંચ્યો બીજી જેલ, પછી..

મિઝોરમમાં શોલે ફિલ્મની જય વિરુની જોડી જેવી ઘટના સામે આવી છે. સિયાહા જિલ્લા જેલમાં બંધ એક કેદી જેલથી ભાગવામાં સફળ રહ્યો, પરંતુ તે પોતાના સાથીને મળવા માટે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરી આવ્યો. આ દરમિયાન તે પકડાઈ ગયો. પરંતુ પોલીસને છેતરીને તે ફરીથી ફરાર થઈ ગયો. સાઉથ મિઝોરમન સિયાહા જિલ્લા જેલમાં બંધ 24 વર્ષિય કેદી વનરામપના જેલથી ભાગી ગયો. ત્યારબાદ તે પોતાના સાથીને મળવા બીજી જેલ એટલે કે આઈઝોલ સેન્ટ્રલ જેલ પહોંચી ગયો.

જેલથી કેદી ભાગવાની સૂચના મળતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો. આ ઘટનાએ પોલીસ અધિકારીઓ સાથે સાથે જનતાને પણ હેરાન કરી દીધી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા (TOI)ના રિપોર્ટ મુજબ, વનરામપના ચોરી કરવાના આરોપમાં સિયાહા જેલમાં બંધ હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તે વિચારાધીન કેદીના રૂપમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. તે 9 સપ્ટેમ્બરના રોજ સિયાહા જેલના અધિકારીઓને છેતરીને ભાગવામાં સફળ રહ્યો. પોલીસ દ્વારા સતત પીછો કરવા છતા તે આઈઝોલ સેન્ટ્રલ જેલમાં ફરીથી આવ્યો અને પોતાના વીરૂ સાથે મુલાકાત કરી.

તેના શંકાસ્પદ વ્યવહારને જોતા સતર્ક થયેલા જેલ પ્રહારિયોએ પકડી લીધો અને આગળની તપાસ માટે જેલરને સોંપી દીધો. સિયાહા જેલ અધિકારીઓ પાસેથી આ વાતની પુષ્ટિ થઈ કે વનરામપના વાસ્તવમાં એ જ કેદી હતો, જે મહિનાની શરૂઆતમાં ભાગી ગયો હતો. તેને પશ્ચિમ આઈઝોલના જોનુઆમ પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો અને ભાગેડુને સિયાહા જિલ્લા જેલમાં પાછો લાવવાની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. જો કે શુક્રવારે રાત્રે વનરામપના ફરી એક વખત પોલીસની કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો.

રવિવારે સુધી વનરામપના પોલીસની પકડથી દૂર છે. પોલીસ કસ્ટડીથી એવી રીતે ભાગવું સુરક્ષા તંત્ર બાબતે ગંભીર સવાલ ઉઠાવે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, જો તપાસમાં કોઈ પ્રકારની બેદાકારી સામે આવે છેઃ તો જવાબદાર લોકો પર ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

આ જ મહિનામાં ગુજરાતના આણંદ જિલ્લાની એક જેલમાંથી ચાર કેદીઓ ફરાર થયા હતા. શુક્રવારે રાત્રે લગભગ બે કલાકે બેરેક નંબર ત્રણમાં બંધ ચાર કેદીઓએ જેલ તોડીને ફરાર થયા હતા. આણંદ જિલ્લાની બોરસદ સબ-જેલમાંથી બંધ કેદી બેરેક નંબર ત્રણમાંથી ભાગ્યા હતા. કેદીઓએ બેરેકની નીચેની લાકડીઓનો ભાગ કાપી કાઢ્યો હતો અને એ પછી રાતના અંધારામાં આશરે બે કલાકે જેલમાંથી પોલીસને છેતરીને આપીને 20 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થયા હતા. લાકડી કાપ્યા પછી તેમણે લોખંડનો સળિયો પણ કાઢી નાખ્યો હતો. ત્યારબાદ તે બહાર આવ્યા હતા અને રાતના અંધારાનો લાભ લઈને જેલ તોડીને ભાગી ગયા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.