વરરાજો ક્લીન શેવમાં ન આવ્યો, પંચાયતે દુલ્હા-દુલ્હન બંનેને સમાજમાંથી કાઢી મુક્યા

રાજસ્થાનના પાલીમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. લગ્નમાં વરરાજા ક્લીન શેવમાં નહોતો આવ્યો અને સાથે તેણે સફેદ કલરનો સાફો પહેર્યો હતો. આ વાતથી નારાજ થઇને પંચાયતે દુલ્હા- દુલ્હન બંનેને સમાજમાંથી બહાર કરી દીધા છે. વરરાજાએ હવે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

પાલી જિલ્લાના ચચોડીમાં એન્જિનિયર યુવક અમૃત સુથારના 22 એપ્રિલે અમૃતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. અમૃત સુથાર જ્યારે લગ્ન કરવા આવ્યો હતો ત્યારે તેણે દાઢી રાખી હતી અને સફેદ કલરનો સાફો પહેર્યો હતો. લગ્નના 20 દિવસ પછી અમૃત અને તેની પત્નીને જાણકારી મળી કે લગ્નમાં ક્લીન શેવ કરીને નહીં આવવાને કારણે અને સફેદ સાફો પહેરવાને કારણે પંચે તેમને સમાજમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે.

આ પછી યુવક અમૃત સુથારે કોર્ટના દરવાજા ખટટાવ્યા હતા, કારણકે તેને માફી માંગવા માટે 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ દુલ્હને પણ પોલીસમાં ન્યાયની માગ કરતી અરજી કરી છે. પોલીસને કરેલી ફરિયાદમાં અમૃતાએ કહ્યું છે કે શ્રી વિશ્વકર્મા વંશ સુથાર સમાજે 19 જૂને રાત્રે પંચાયત બોલાવી હતી અને મૌખિક જાહેરાત કરીને મારા પરિવારને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

દુલ્હને ફરિયાદમાં કહ્યું છે કે પંચાયત અને સમાજે વરરાજા લગ્નના પોશાકને કારણે મને અને મારા પરિવારનો બહિષ્કાર કરી દીધો છે. આ નિર્ણયને કારણે મારા પિયરનો પરિવાર હવે મને પિયરમાં પ્રવેશ નથી કરવા દેતા, કારણકે સુથાર સમાજે તેમની પર નિયમ મુકી દીધો છે. દુલ્હને કહ્યું કે પંચાયત અને પંચના સભ્યો સામે  FIR નોંધવામાં આવે. તો બીજી તરફ સમાજના લોકોનું કહેવું છે કે આવો કોઇ નિર્ણય લેવામા નથી આવ્યો, સમાજને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે.

શ્રીવિશ્વકર્મા વંશ સુથાર સમાજના પ્રમુખ હરિલાલ સુથારે કહ્યું કે, અમૃત સુથારે કરેલી ફરિયાદ ખોટી છે. હું તેને ઓળખતો પણ નહોતો અને તેના લગ્નમાં પણ ગયો નહોતો. દરેક સમાજની જેમ અમારા સમાજમાં પણ કેટલાક રિવાજો અને સંસ્કારો છે, જેનું પાલન કરવું એ સમાજની ફરજ છે. અમૃતલાલે સેવા સંસ્થાનને ખાપ પંચાયતનો દરજ્જો આપીને તેનું અપમાન કર્યું છે

પોલીસે કહ્યું કે ચિચોડીના યુવકે અમને ઓનલાઇન ફરિયાદ કરી છે. જેમાં શ્રીવિશ્વકર્મા વંશ સુથાર સમાજના અધ્યક્ષ  હરિલાલ સહિત 30-35 લોકો પરેશાન કરી રહ્યા હોવાની રાવ કરી છે. અમે તેની તપાસ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.