પંજાબની આમ આદમી પાર્ટીની સરકારના કેબિનેટ મંત્રીનું રાજીનામું

પંજાબના કેબિનેટ મંત્રી ફૌજા સિંહ સરારીએ શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફૌજા સિંહ સરારીએ અંગત કારણોનો સંદર્ભ આપતા રાજીનામું આપ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, હું પાર્ટીનો વફાદાર સિપાહી છું અને હંમેશાં રહીશ. સાથે જ ભગવંત માન કેબિનેટમાં મોટા ફેરબદલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આજે સાંજે 4 વાગ્યે પંજાબ રાજભવનમાં સામન્ય આયોજન દરમિયાન કેબિનેટ વિસ્તાર થઇ શકે છે.

આ સમયે પંજાબ કેબિનેટમાં મુખ્યમંત્રી અને 13 મંત્રી છે. કેબિનેટમાં અત્યારે 4 મંત્રીઓની જગ્યા ખાલી છે. કેબિનેટથી નોન-પરફોર્મર મંત્રીઓને બહારનો રસ્તો દેખાડી શકાય છે, જ્યારે નવા ચહેરાઓની એન્ટ્રી થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટલાક મંત્રીઓના વિભાગ બદલી શકાય છે. જાણકારો મુજબ, આજે સાંજે 5 વાગ્યા પહેલા રાજ્યપાલ નિવાસમાં એક પ્રોગ્રામનું આયોજન થવાનું છે. સંભાવના છે કે આ કાર્યક્રમમાં મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે.

તો ફૌજા સિંહ પર પહેલા ભ્રષ્ટાચારના આરોપ પણ લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફૌજા સિંહ સરારીનો એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે, વાયરલ ઓડિયોમાં ફૌજા સિંહ પોતાના નજીકના સાથે ‘બળજબરીપૂર્વક વસૂલીની પ્લાઇન્ગ’ને લઇને વાત કરી રહ્યા હતા. વાયરલ ઓડિયોને કોંગ્રેસ નેતા અને ભોલાથથી ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ પણ શેર કર્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે ઓડિયોમાં મંત્રી ફૌજા સિંહ પોતાના નજીકના તરસેમ લાલ કપૂર સાથે કોન્ટ્રાકટરો અને અધિકારીઓ પાસે બળજબરીપૂર્વક વસૂલીના પ્લાન પર વાત કરી રહ્યા હતા.

જો કે, ફૌજા સિંહ સરારીએ આ આરોપોનું ખંડન કરતા પોલીસમાં લીક વીડિયો વિરુદ્ધ ફરિયાદ નોંધવાઇ હતી. મંત્રીએ ઓડિયો ક્લિપ નકલી હોવાનો કરાર આપતા એક મોટા ષડયંત્રનો હિસ્સો બતાવી હતી. ફૌજા સિંહ સરારી સ્વતંત્રતા સેનાની રક્ષા સેવાઓ, કલ્યાણ ખાદ્ય પ્રસંસ્કરણ અને બાગવાની વિભાગ સંભાળી રહ્યા હતા.

અન્ય એક રિપોર્ટ મુજબ, હરજોત બેંસ અને અનમોલ ગગન માનના વિભાગ મંત્રાલય બદલવાની ચર્ચા પણ થઇ રહી છે. માઇનિંગ અને જેલ વિભાગ મંત્રાલય મીત હેરને સોંપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. વિજય સિંગલાને ભગવંત માન કેબિનેટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમના પર વિભાગના ટેન્ડરમાં કમિશન લેવાના આરોપ લાગ્યા હતા. સિંગલાને જેલમાં પણ રહેવું પડ્યું હતું. જો કે, આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.