માન હૉસ્પિટલમાં કેમ થયા દાખલ? નેતા બોલ્યા-હાલત ગંભીર છે, AAPએ જણાવી હકીકત

On

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હૉસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું હતું કે, તેઓ કાલે રાતથી ફોર્ટિસ હૉસ્પિટલના દાખલ છે. હાલત ચિંતાજનક અને ગંભીર છે. મામલો વધારે દારૂ પીવાનો છે એટલે હૉટસ્પિટલે હકીકત બતાવવી જોઇએ. ન્યૂઝ એજન્સી ANI મુજબ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ ભગવંત માન જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી, પરંતુ તેમણે પોતાના નિવેદનમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને યોગ્ય જાણકારી ન આપવાની આશંકા પણ વ્યક્ત કરી.

જો કે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી હૉસ્પિટલમાં દાખલ થવાનું કારણ બતાવ્યું છે. અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને કાલે રાત્રે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, તેમને કેમ દાખલ કરાવવામાં આવ્યા છે? સરકાર તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. તે એક સંવૈધાનિક પદ પર છે આ એક સીમાવર્તી રાજ્ય છે અને તમને જાણકારી આપી રહ્યા નથી. એ સતત થઇ રહ્યું છે, થોડા દિવસ અગાઉ તેમણે દિલ્હીના અપોલો હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

અકાલી નેતાએ કહ્યું કે, હાલત ગંભીર અને ચિંતાજનક છે. AAP પાર્ટીએ કહ્યું કે, આ એક રૂટિન ચેકઅપ છે. પરંતુ આ રૂટિન ચેકઅપ નથી કેમ કેમ રૂટિન ચેકઅપમાં 24 કલાક લાગતા નથી. અસલી કારણને દબાવવામાં આવી રહ્યું છે. હું તેઓ સજા થાય તેવી કામના કરું છું, પરંતુ દુર્ભાગ્યથી મામલો વધુ દારૂ પીવાનો છે અને આ કારણે તેમનું લીવર ખરાબ થઇ ગયું છે. એ લીવર સિરોસિસથી પીડિત છે અને ડૉક્ટરે તેમને દારૂ ન પીવા કહ્યું છે. તેઓ 2-3 વખત બેહોશ થઇ ચૂક્યા છે અને હવે તેમને ફોર્ટિસમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

અકાલી નેતાએ માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, પંજાબના DGP, મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય મંત્રી અને ફોર્ટિસ હૉસ્પિટલના લોકોએ હકીકત બતાવવી જોઇએ. તમે એજ રસ્તા પર જઇ રહ્યા છો, જે તામિલનાડુમાં થયું, એટલે તેનાથી બચવા માટે બધુ પારદર્શી રાખો. અકાલી દાળના નેતાના નિવેદન અને આખા દિવસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને ઉઠેલા સવાલો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઇને આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે, નિયમિત તપાસ માટે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. વિભિન્ન પરીક્ષણોના માધ્યમથી મુખ્યમંત્રીની સ્વાસ્થ્ય સ્થિતનું વિવરણ લેવામાં આવી રહ્યું છે.

પાર્ટીએ ડૉક્ટરોના સંદર્ભે કહ્યું કે, મુખ્યમંત્રી અત્યારે બિલકુલ ઠીક છે અને તેમને કોઇ વિશેષ સમસ્યા થઇ રહી નથી. ડૉક્ટરોને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ફેફસાઓની એક ધમનીમાં સોજાના લક્ષણ છે, જે હૃદય પર દબાણ બનાવી રહ્યો છે, જેના કારણે રક્તચાપમાં ઉતાર-ચઢાવ થવા લાગે છે. તેમના કેટલાક ટેસ્ટ બાકી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયે પણ મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું હતું કે તેઓ હૉસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે અને તેઓ રેગ્યુલર ચેકઅપ માટે જ હૉસ્પિટલમાં દાખલ થયા છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-03-2025 દિવસ: ગુરુવાર મેષ: તમારે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને છોડી દેવાની જરૂર નથી, નહીં તો તે તમારા માટે સમસ્યાઓ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી અને તેમને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની એક સ્થાનિક TV ન્યૂઝ...
World 
પાકિસ્તાની રાજદૂતને USમાં પ્રવેશ ન આપ્યો, ઇમિગ્રેશન દ્વારા તેમને દેશની બહાર કાઢવામાં આવ્યા

વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો....
Education 
વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષે કેબિનેટ મંત્રી અને ભાજપના ધારાસભ્ય વચ્ચે થયેલી વાતચીતને સદનની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે. મંગળવારે હરિયાણા વિધાનસભાના બજેટ...
National  Sports 
જલેબીથી ગોબર સુધી..., વિધાનસભામાં પોતાની જ સરકારના મંત્રી સાથે ઝઘડી પડ્યા BJPના MLA

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.