માન હૉસ્પિટલમાં કેમ થયા દાખલ? નેતા બોલ્યા-હાલત ગંભીર છે, AAPએ જણાવી હકીકત

On

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હૉસ્પિટલમાં દાખલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું હતું કે, તેઓ કાલે રાતથી ફોર્ટિસ હૉસ્પિટલના દાખલ છે. હાલત ચિંતાજનક અને ગંભીર છે. મામલો વધારે દારૂ પીવાનો છે એટલે હૉટસ્પિટલે હકીકત બતાવવી જોઇએ. ન્યૂઝ એજન્સી ANI મુજબ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ ભગવંત માન જલદી સ્વસ્થ થાય તેવી કામના કરી, પરંતુ તેમણે પોતાના નિવેદનમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને યોગ્ય જાણકારી ન આપવાની આશંકા પણ વ્યક્ત કરી.

જો કે, આ મુદ્દા પર આમ આદમી પાર્ટીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં પાર્ટીએ મુખ્યમંત્રી હૉસ્પિટલમાં દાખલ થવાનું કારણ બતાવ્યું છે. અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માનને કાલે રાત્રે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, તેમને કેમ દાખલ કરાવવામાં આવ્યા છે? સરકાર તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. તે એક સંવૈધાનિક પદ પર છે આ એક સીમાવર્તી રાજ્ય છે અને તમને જાણકારી આપી રહ્યા નથી. એ સતત થઇ રહ્યું છે, થોડા દિવસ અગાઉ તેમણે દિલ્હીના અપોલો હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

અકાલી નેતાએ કહ્યું કે, હાલત ગંભીર અને ચિંતાજનક છે. AAP પાર્ટીએ કહ્યું કે, આ એક રૂટિન ચેકઅપ છે. પરંતુ આ રૂટિન ચેકઅપ નથી કેમ કેમ રૂટિન ચેકઅપમાં 24 કલાક લાગતા નથી. અસલી કારણને દબાવવામાં આવી રહ્યું છે. હું તેઓ સજા થાય તેવી કામના કરું છું, પરંતુ દુર્ભાગ્યથી મામલો વધુ દારૂ પીવાનો છે અને આ કારણે તેમનું લીવર ખરાબ થઇ ગયું છે. એ લીવર સિરોસિસથી પીડિત છે અને ડૉક્ટરે તેમને દારૂ ન પીવા કહ્યું છે. તેઓ 2-3 વખત બેહોશ થઇ ચૂક્યા છે અને હવે તેમને ફોર્ટિસમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

અકાલી નેતાએ માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, પંજાબના DGP, મુખ્ય સચિવ, સ્વાસ્થ્ય મંત્રી અને ફોર્ટિસ હૉસ્પિટલના લોકોએ હકીકત બતાવવી જોઇએ. તમે એજ રસ્તા પર જઇ રહ્યા છો, જે તામિલનાડુમાં થયું, એટલે તેનાથી બચવા માટે બધુ પારદર્શી રાખો. અકાલી દાળના નેતાના નિવેદન અને આખા દિવસે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઇને ઉઠેલા સવાલો વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઇને આમ આદમી પાર્ટીનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીએ કહ્યું કે, નિયમિત તપાસ માટે ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. વિભિન્ન પરીક્ષણોના માધ્યમથી મુખ્યમંત્રીની સ્વાસ્થ્ય સ્થિતનું વિવરણ લેવામાં આવી રહ્યું છે.

પાર્ટીએ ડૉક્ટરોના સંદર્ભે કહ્યું કે, મુખ્યમંત્રી અત્યારે બિલકુલ ઠીક છે અને તેમને કોઇ વિશેષ સમસ્યા થઇ રહી નથી. ડૉક્ટરોને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ફેફસાઓની એક ધમનીમાં સોજાના લક્ષણ છે, જે હૃદય પર દબાણ બનાવી રહ્યો છે, જેના કારણે રક્તચાપમાં ઉતાર-ચઢાવ થવા લાગે છે. તેમના કેટલાક ટેસ્ટ બાકી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુખ્યમંત્રી કાર્યાલયે પણ મુખ્યમંત્રી ભગવંત માનના સ્વાસ્થ્યને લઇને કહ્યું હતું કે તેઓ હૉસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમની હાલત સ્થિર છે અને તેઓ રેગ્યુલર ચેકઅપ માટે જ હૉસ્પિટલમાં દાખલ થયા છે.

Related Posts

Top News

આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

ગુજરાતના લોકોના મોંમા પાણી આવી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે. દેશના એક રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ...
National 
આ રાજ્યમાં દારૂબંધી, પણ બીયરની છૂટ છે #mizoram #gujaratinews #livenews

સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

#gujarat #surat #Police #gujaratpolice #gujaratinews #livenews Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram...
Gujarat 
સગીર સાયકલ સવારને ઢીબી નાંખનાર PSIની ચરબી ઉતારી દેવાઇ

લાર્સન અને ટુબ્રોના ચેરમેને કંપનીની મહિલા કર્મચારીઓ માટે કરી જાહેરાત, મળશે આ ખાસ રજા

L&Tના ચેરમેન SN સુબ્રમણ્યમે જાહેરાત કરી છે કે, L&T ગ્રુપની મહિલા કર્મચારીઓને હવે પીરિયડ્સ દરમિયાન એક દિવસની રજા...
Business 
લાર્સન અને ટુબ્રોના ચેરમેને કંપનીની મહિલા કર્મચારીઓ માટે કરી જાહેરાત, મળશે આ ખાસ રજા

આજે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મધ્યપ્રદેશનાં છતરપુરનાં ગઢામાં બાગેશ્વર જન સેવા સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિએ...
National 
આજે આપણો દેશ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ આગળ વધી રહ્યો છેઃ રાષ્ટ્રપતિ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.