રઘુરામ રાજને રાહુલ ગાંધી વિશે કહ્યું- તે પપ્પુ બિલકુલ નથી, તે એક સ્માર્ટ નેતા છે

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી. તેમના વિશે જે ધારણા કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું કે, રાહુલને ઘણા મુદ્દાઓ પર ઘણી જાણકારી છે. આ બધું રઘુરામ રાજને એક ચેનલ સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું છે.

રઘુરામ રાજને કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં રાહુલ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આખો દાયકો પસાર કર્યો છે. તે બિલકુલ પપ્પુ તો છે જ નહીં. તે ખૂબ જ સ્માર્ટ, યુવાન અને જિજ્ઞાસુ વ્યક્તિ છે. તમારે જાણવું જોઈએ કે પ્રાથમિકતા શું છે, તેમાં ઘણા જોખમો છે. મને લાગે છે કે રાહુલ ગાંધી આ બધાથી સંપૂર્ણપણે વાકેફ છે. હવે એક તરફ રાજને રાહુલ ગાંધીના વખાણ કર્યા, તો બીજી તરફ તેમણે ભારપૂર્વક કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાના નથી. આ અંગે તેમણે કહ્યું કે, મેં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો કારણ કે, હું તે યાત્રાના સિદ્ધાંતોમાં વિશ્વાસ રાખતો હતો. હું તેની સાથે ઉભો હતો. હું રાજકારણમાં આવવાનો નથી.

હવે એવું જોવાઈ રહ્યું છે કે, રાજન લાંબા સમયથી PM મોદી સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે. તેમની દરેક નીતિ પર કડક ટિપ્પણી કરતા હોય છે. જ્યારે તેમને આ આરોપો અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે, મનમોહન સિંહની સરકાર વખતે પણ તેઓ ઘણા મુદ્દાઓ પર સરકારની વિરુદ્ધ ઉભા રહ્યા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા રઘુરામ રાજને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ રાજનનો ઈન્ટરવ્યુ લીધો હતો, તેમના તરફથી આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તે સમયે રઘુરામ રાજને કહ્યું હતું કે, 2023 ભારત માટે વધુ પડકારજનક બનવાનું છે. તેમણે કહ્યું કે આ વર્ષે પણ વિશ્વ યુદ્ધ અને અન્ય કારણોસર દુનિયા આર્થિક રીતે પરેશાન હતી, પરંતુ આગામી વર્ષ તેનાથી પણ વધુ મુશ્કેલ થવાનું છે. ભારતની અર્થવ્યવસ્થા પર પોતાનો અભિપ્રાય આપતા રઘુરામ રાજને કહ્યું કે, ભારત અને વિશ્વની અર્થવ્યવસ્થાઓ વિકાસ માટે જરૂરી એવા સુધારા તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. થોડાક અમીરોના હાથમાં મૂડીના કેન્દ્રીકરણ પર રઘુરામ રાજને રાહુલને સમજાવ્યું કે, આપણે મૂડીવાદની વિરુદ્ધ ન થઇ શકીએ, પરંતુ આપણે સ્પર્ધા માટે લડવું પડશે. આપણે માર્કેટ પર એકાધિકારની વિરુદ્ધ હોઈ શકીએ છીએ. નાના વેપાર, મોટા વેપાર દેશ માટે સારા છે પણ એકાધિકાર દેશ માટે સારું નથી.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.