રાહુલને સરકારી બંગલો પણ ફરી મળી ગયો, જાણો જૂનું જ ઘર મળવા અંગે શું કહ્યું?

લગભગ 6 મહિનાના સંઘર્ષ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હવે રાહત મળી રહી છે. સુરતની કોર્ટે જાહેર કરેલી સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધા પછી રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ પાછું મળી ગયું હતું અને હવે સરકારી બંગલો પણ પાછો મળી ગયો છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા બાદ તેમનો જૂનો સરકારી બંગલો પરત મળી ગયો છે. હવે રાહુલ ફરી 12 તુગલક રોડ પર આવેલા બંગલામાં જ રહેશે. ઘર પાછું મળ્યા પછી રાહુલ ગાંધીનું પહેલું નિવેદન પણ સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે મારું ઘર આખું હિંદુસ્તાન છે. સંસદની હાઉસિંગ કમિટીએ રાહુલનો જૂનો સરકારી બંગલો પાછો આપી દીધો છે.

મોદી સરનેમ માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. 4 ઓગસ્ટના દિવસે સર્વોચ્ચ અદાલતે બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી દીધી હતી, જેનાથી કેરળના વાયનાડથી લોકસભા સાંસદ તરીકે તેમના પુનઃસ્થાપિત થવાનો માર્ગ મોકળો થયો હતો. સંસદનું સભ્યપદ મળતાની સાથે જ રાહુલ ગાંધી સંસદમાં પણ ગયા હતા.

ગુજરાતની સુરત કોર્ટે રાહલુ ગાંધીને 23 માર્ચે  બે વર્ષની જેલની સજા ફટકારી હતી. એ પછી બીજા જ દિસે રાહુલ ગાંધીને 24 માર્ચે લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ સુરત કોર્ટના ચુકાદાને સુરતની સેશન્સ કોર્ટ અને પછી ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ બંને જગ્યાએથી રાહુલ ગાંધીને હાર મળી હતી. એ પછી રાહુલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. 4 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી હતી.

રાહુલ ગાંધીના સંસદ સભ્ય પદ રદ થયા પછી તેમને 12 તુગલક રોડ પર આવેલા સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી હતી, જે રાહુલ ગાંધીએ ખાલી પણ કરી દીધો હતો.

એવા પણ સમાચાર છે કે ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો ગુજરાતથી શરૂ થશે અને મેઘાલય સુધી ચાલશે.

અગાઉ એવા અહેવાલ હતા કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 13 ઓગસ્ટે છત્તીસગઢ, 18 ઓગસ્ટે તેલંગાણા, 22 ઓગસ્ટે મધ્યપ્રદેશ અને 23 ઓગસ્ટે રાજસ્થાનની મુલાકાત લેશે. તેઓ તેમની મુલાકાત દરમિયાન આ રાજ્યોમાં જાહેર રેલીઓને સંબોધિત કરશે.

આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસ ઉત્સાહિત છે અને વધુને વધુ લોકો સાથે જોડાવા માટેની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.