રાહુલ ગાંધીએ જણાવ્યું કોણ છે હિન્દુ? બોલ્યા-તે એટલો નબળો નથી કે પ્રતિહિંસાનું...

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર એક લેખ શેર કરીને પોતાના વિચાર સામે રાખ્યા છે. ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્’ના હેડિંગ સાથે આ લેખમાં રાહુલ ગાંધી લખે છે કે દરેક પ્રકારના પૂર્વાગ્રહ અને ભયથી મુક્તિ મેળવીને સત્યના સમુદ્રમાં સમાઈ જવું જ અસલી હિન્દુ ધર્મ છે અને સત્ય અને અહિંસા જ એકમાત્ર રસ્તો છે.’ તેમની આ પોસ્ટ પર લોકોના ખૂબ રીએક્શન પણ આવી રહ્યા છે.

રાહુલ ગાંધી લખે છે કે, ‘સત્યમ્, શિવમ્, સુંદરમ્.. એક હિન્દુ પોતાના અસ્તિત્વમાં સમસ્ત ચરાચરને કરુણા અને ગરિમા સાથે ઉદારતાપૂર્વક આત્મસાત કરે છે કેમ કે એ જાણે છે કે જીવનરૂપી આ મહાસાગરમાં આપણે બધુ ડૂબી-ઉતરી રહ્યા છીએ. નિર્બળની રક્ષાનું કર્તવ્ય જ તેનો ધર્મ છે.’ પોતાના લેખની જે તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે તેમાં રાહુલ લખે છે કે, ‘કલ્પના કરો, જિંદગી પ્રેમ અને ઉલ્લાસની ભૂખ અને ભયનો એક મહાસાગર છે અને આપણે બધા તેમાં તરી રહ્યા છીએ.

તેની સુંદર અને ભયાનક શક્તિશાળી સતત પરિવર્તનશીલ લહેરો વચ્ચોવચ આપણે જીવવાનો પ્રયાસ કરીએ છીએ. આ મહાસાગરમાં જ્યાં પ્રેમ, ઉલ્લાસ અને અથાગ આનંદ છે. તો ભય છે, મૃત્યુનો ભય, ભૂખનો ભય, દુઃખનો ભય.. આ મહાસાગરમાં સામૂહિક અને નિરંતર યાત્રાનું ના જીવન છે, જેની ભયજનક ઊંડાઈઓમાં આપણે બધા તરીએ છીએ. ભયાનક એટલે કેમ કે આ મહાસાગરથી આજ સુધી ન તો કોઈ બચી શક્યું છે અને ન બચી શકશે.

જે વ્યક્તિમાં પોતાના ભયની જડમાં જઈને આ મહાસાગરને સત્યનિષ્ઠાથી જુએ છે, સાહસ છે, એ જ હિન્દુ છે.. એક હિન્દુ પોતાના અસ્તિત્વમાં સમસ્ત ચરાચરને કરુણા અને ગરિમા સાથે ઉદારતાપૂર્વક આત્મસાત કરે છે કેમ કે તે જાણે છે કે જીવનરૂપી આ મહાસાગરામાં આપણે બધા ડૂબી-ઉતરી રહ્યા છીએ. એક હિંદુમાં પોતાના ભયને ઊંડાણમાં જોવા અને તેને સ્વીકાર કરવાનું સાહસ હોય છે. જીવનની યાત્રામાં એ ભયરૂપી શત્રુને મિત્રમાં બદલાવાનું શીખે છે.

ભય તેના પર ક્યારેય હાવી થતો નથી, વરણ ઘનિષ્ઠ સખા બનીને તેને આગળનો માર્ગ દેખાડે છે. એક હિંદુનો આત્મ એટલો નબળો હોતો નથી કે તે પોતાના ભયના વશમાં આવીને કોઈ પ્રકારના ક્રોધ, ધૃણા કે પ્રતિહિંસાનું માધ્યમ બની જાય. હિન્દુ જાણે છે કે સંસારની સમસ્ત જ્ઞાનરાશિ સામૂહિક છે અને બધા લોકોની ઇચ્છાશક્તિ અને પ્રયાસથી ઉપજી છે. એ માત્ર એકલાની જ સંપત્તિ નથી. જ્ઞાન પ્રત્યે ઉત્કટ જિજ્ઞાસાની ભાવનાથી સંચાલિત જ અંતઃકરણ સદૈવ ખુલ્લો રહે છે.

એ વિનમ્ર હોય છે અને આ ભાવસાગરમાં વિચારી રહેલા કોઈ પણ વ્યક્તિને સાંભળવા-શીખવાનું પ્રસ્તુત. પોતાના લેખના અંતમાં રાહુલ લખે છે કે હિન્દુ બધા પ્રાણીઓને પ્રેમ કરે છે. એ જાણે છે કે આ મહાસાગરમાં તરવાના સૌના પોત-પોતાના માર્ગ અને રીત છે. બધાને પોતાના માર્ગ પર ચાલવાનો અધિકાર છે. એ બધા માર્ગોને પ્રેમ કરે છે, બધાનો આદર કરે છે અને તેમની ઉપસ્થિતિને પોતાની માનીને સ્વીકારે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.