રાહુલ ગાંધી એક વીક દિલ્હીમાં નહોતા, ફેસબૂક પોસ્ટ પર કારણ જણાવ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક સપ્તાહ સુધી દિલ્હીમાં હાજર નહોતા. હવે તેમણે ફેસબુક પોસ્ટ પર જાણકારી આપી છે કે આ એક સપ્તાહ તેઓ ક્યાં ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘૂંટણની ઈજાની સારવાર કરાવીને શનિવારે દિલ્હી પરત ફર્યા હતા. રાહુલે કેરળની પ્રખ્યાત કોટ્ટક્કલ આર્ય વૈદ્યશાળામાં આયુર્વેદિક સારવાર લીધી છે. પૂર્વ સાંસદે પોતે ફેસબુક પોસ્ટ દ્વારા આની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કેરળના કોટ્ટક્કલમાં કાયાકલ્પનો અનુભવ થયો.

રાહુલ ગાંધીને એક સપ્તાહ પહેલા ઘૂંટણની સમસ્યા ઉભી થઇ હતી જેના ઇલાજ માટે કેરળ પહોંચ્યા હતા.એક સપ્તાહ સુધી તેમણે આયુર્વેદિક સારવાર લીધી હતી.

કોંગ્રેસ નેતા અને કેરળના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ એક તસ્વીર સાથે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું છે કે, કોટ્ટક્કલ વૈદ્યશાળામાં મારું રહેવુ એક તરોતાજા અનુભવ કરનારું રહ્યું. છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે  પ્રેમ અને કાળજી માટે, ડૉ. પી.એમ. વેરિયર અને તેની ટીમનો મારો હૃદયપૂર્વક આભાર. હું ટ્રસ્ટી રાઘવ વેરિયર, ડૉ. કે. મુરલીધરન, સુજીત એસ. વેરિયર, કે.આર. અજય, ડો. પી. રામકુમાર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. જી.સી. હું ગોપાલ પિલ્લઈ અને સેલજા માધવન કુટ્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું.

રાહુલ ગાંધીએ 27 જુલાઇએ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા સાહિત્યકાર એમ.ટી વાસુદેવન નાયર સાથે મુલાકાત કરી હતી. એક ફેસુબુક પોસ્ટમાં રાહુલે લખ્યું કે કેરળની મારા વર્તમાન પ્રવાસ દરમિયાન અનેક અદભૂત અનુભવોની સાથે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ ટી વાસુદેવન નાયર સાથે પણ મારી મુલાકાત થઇ હતી. રાહુલે આગળ લખ્યું કે વાસુદેવન નાયર એ મલયાલમ સાહિત્યના દિગ્ગજ છે, તેમની પછળ 6 પ્રસિદ્ધ દાયકાઓનું લેખન છે. તેઓ જ્ઞાન અને બુદ્ધિમત્તાના પાવરહાઉસ છે. તેમની સાથે સમય વિતાવવો અને ભારતના દુર્લભ રત્નોમાંના એકને સાંભળવા, તેમની પાસેથી શિખવું એ મારા માટે સન્માનની વાત રહી છે.

કેરળના વાયનાડના પૂર્વ લોકસભા સાંસદ રાહુલ ગંધીએ 25 જુલાઇએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીની યાદમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત એક શ્રધ્ધાંજલિ સભામાં પણ ભાગ લીધો હતો, જેમનું 18 જુલાઇએ નિધન થયું હતું. રાહુલે ગયા બુધવારે આર્ય વૈધશાળા પરિસરમાં આવેલા શ્રી વિશ્વંભરા મંદિરમાં પૂર્જા-અર્ચના કરી હતી એ પછી રાહુલે કથકલી નૃત્યની રજૂઆત પણ માણી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.