રાયગઢ ભૂસ્ખલનઃ કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવામાં જવાનનું હાર્ટ એટેકથી મોત

પ્રકૃત્તિની નજીક પારંપરિક રીતે જીવન ગુજારનારા આદિવાસી પરિવારો પર સમયનો માર પડ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરમાં ઈરશાલગઢ ગામ આખેઆખુ લેન્ડસ્લાઈડમાં દબાઈ ગયું. આ ઘટના ત્યારે બની જ્યારે બધા ઊંઘી રહ્યા હતા. આ ઘટનામાં 120થી વધારે લોકો કાટમાળમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 5 થી 6 શવો મળી આવ્યા છે. તો 27 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પણ આ બચાવ કામગીરી કરતા સમયે એક જવાનનું મોત થયું છે.

ઈશાલવાડીમાં ભૂસ્ખલનની જાણકારી મળતા જ તરત રાહત બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુંબઈથી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે છે. જ્યારે આ બચાવ કામગીરીનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ઘણી મુશ્કેલીઓ પણ આવી. તોફાની હવાઓની સાથે વરસાદ વરસી રહ્યો હતો પણ દરેક જવાનો લોકોને બચાવવામાં લાગ્યા હતા. પણ એક દુઃખદ ઘટના બની. નવી મુંબઈ નગર પાલિકાના ફાયર બ્રિગેડના અધિકારી શિવરામ ધુમાને અચાનક ગભરામણ થવા લાગી.

જેવી શિવરામ ધુમાનેની તબિયત ખરાબ થવા લાગી તો અન્ય સહકર્મી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા લાગ્યા પણ રસ્તામાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું. પોતાના કર્તવ્યનું પાલન કરતા સમયે ધુમાના નિધનથી લોકો દુઃખી છે.

રાયગઢ જિલ્લાના ઈરશાલગઢમાં ઈરશાલવાડીની તળેટીમાં ચૌક નામનું ગામ છે. આદિવાસી ભાઈઓના આ ગામમાં ઠાકુર સમુદાયના લોકો વસે છે. આ લોકોના ઘર ભૂસ્ખલનમાં દબાઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે આ વાડીના 90 ટકા ઘરો કાટમાળમાં ફસાઈ ગયા છે અને મોટી જનહાનિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં ઘટના સ્થળે NDRFની 4 ટીમો બચાવ કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 75 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. પહાડો પરની માટી ગામમાં ધસી આવી હતી. લેન્ડસ્લાઈડની આ માટીમાં 17 લોકોના ઘરો દબાયા છે. આ ગામ આદિવાસીઓનું છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.