રેલવેની હનુમાનદાદાને નોટિસ-તમે રેલવેની જમીન પર મકાન બનાવીને અતિક્રમણ કર્યુ છે

રસ્તાઓ પહોળા કરવાને લઈને સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા સુધીની ઘટનામાં અને સરકારી જમીન પર અતિક્રમણની ઘટના મોટા ભાગે જોવા મળી જતી હોય છે, પરંતુ મધ્ય પ્રદેશના મૂરેનામાં ભારતીય રેલવેએ અજીગોગરીબ પ્રકારની નોટિસ જાહેર કરી છે. રેલવેએ મંદિરમાં બિરાજમાન ભગવાન બજરંગબલીને નોટિસ આપી દીધી છે. સૌથી હેરાનીની વાત એ છે કે રેલવેએ આ નોટિસમાં બજરંગબલીને જ અતિક્રમણકારી બતાવતા 7 દિવસમાં હટાવવા પણ કહ્યું છે.

સાથે જ રેલવે તરફથી એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, જો અતિક્રમણ ન હટાવ્યું તો બળજબરીપૂર્વક કાર્યવાહી કરશે અને JCB વગેરેનો ખર્ચ બજરંગબલી પાસેથી લેવાશે. આ સમયે ગ્વાલિયર-શ્યોપૂર બ્રોડગેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે. મૂરેના જિલ્લાની સબલગઢ તાલુકામાં હનુમાનજીનું મંદિર બ્રોડગેજ લાઇન વચ્ચે આવી રહ્યું છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિર રેલવેની જમીન પર પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. આ નોટિસમાં ભગવાન હનુમાનજીને અતિક્રમણકારી બતાવતા લખ્યું કે, તમે રેલવેની જમીન પર મકાન બનાવીને અતિક્રમણ કર્યું છે. 7 દિવસની અંદર તેને હટાવી લો, નહીં તો આવશ્યક કાર્યવાહી કરવામાં આવશે.

નોટિસમાં લખ્યું કે, ‘આ નોટિસ મળવાના 7 દિવસની અંદર રેલવેની જમીન પર કરવામાં આવેલું અતિક્રમણ હટાવીને રેલવેની જમીન ખાલી કરો, નહીં તો તમારા દ્વારા કરવામાં આવેલા અતિક્રમણને પ્રશાસન દ્વારા હટાવવાની કાર્યવહી કરવામાં આવશે, તેના ખર્ચની જવાબદારી તમારી (ભગવાન હનુમાનજીની) હશે. બજરંગબલીને આપવામાં આવેલી આ નોટિસની પ્રતિ સહાયક મંડળ ઇજનેર અને GRP પોલીસ સ્ટેશનના પ્રભારી ગ્વાલિયરને પણ મોકલવામાં આવી છે. નોટિસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

જ્યારે આ નોટિસની હકીકત જાણવા માટે એક અખબારની ટીમ દ્વારા ઝાંસી રેલવે મંડળના જનસંપર્ક અધિકારી મનોજ માથુર સાથે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, જે પણ રેલવે અતિક્રમણની જમીન છે તેને હટાવવાની આ સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હનુમાનજીને નોટિસ કેમ આપવામાં આવી? તો તેમણે કહ્યું કે તેને લઈને અધિકારીઓ સાથે વાત કરીને જાણકારી આપશે. ત્યારબાદ કહ્યું કે આ નોટિસ પૂરી રીતે સાચી છે. સાથે જ કહ્યું કે, ત્રુટિવશ મંદિર માલિકની જગ્યાએ ભગવાન બજરંગબલીનું નામ લખી દેવામાં આવ્યું છે તેને સુધારવામાં આવી રહ્યું છે. 

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.