કરોડો રેલ યાત્રીઓને જલદી જ મળશે ખુશ ખબરી, ઘટવાનું છે વંદેભારતનું ભાડું

જો ત્યાં વંદેભારત જેવી ભારતની સૌથી ફાસ્ટ અને અત્યાધુનિક ટ્રેનમાં મુસાફરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, પરંતુ વધુ ભાડાના કારણે હિંમત કરી શકતા નથી તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. રેલવે ઓછા અંતરવાળી કેટલીક વંદે ભારત ટ્રેનોમાં સીટો ખાલી રહેવાની સ્થિતિને જોતા ભાડું ઓછું કરવા માટે ટિકિટોની કિંમતની સમીક્ષા કરી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે ઓછા અંતરે મુસાફરોને મોંઘા ભાડાથી રાહત મળી શકે છે. અપેક્ષાકૃત ઓછા અંતરની કેટલીક વંદેભારત ટ્રેનોમાં સીટો પૂરી રીતે ભરાઈ શકતી નથી.

એવી સ્થિતિમાં રેલવે તેના ભાડાની સમીક્ષા કરીને ભાડાંમાં ઘટાડાની યોજના બનાવી રહી છે. ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર જેવી વંદેભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ બધી ટ્રેનોમાં સીટો ઘણી હદ સુધી ખાલી ચાલી રહી છે. વંદેભારત ટ્રેનોમાં સીટો લગભગ ભરેલી હોય છે, પરંતુ કેટલીક ટ્રેનોમાં એવી સ્થિતિ નથી. એવી જ એક ટ્રેન નાગપુર-બિલાસપુર વંદેભારત ટ્રેન પણ છે જેની 55 ટકા સીટો જ ભરાયેલી રહે છે.

લગભગ સાડા પાંચ કલાકની સફરવાળી આ ટ્રેનને લઈને સામાન્ય ધારણા રહી છે કે ભાડું ઓછું કરવાથી તેને મુસાફરો માટે આકર્ષક બનાવી શકાય છે. આ પ્રકારે જૂનમાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસની માત્ર 32 ટકા સીટ ભરાતી હતી. લગભગ 4.5 કલાક લાંબી સફર નક્કી કરનારી આ ટ્રેનની AC ચેર કારનું ભાડું 1055 રૂપિયા છે, જ્યારે એક્ઝિક્યૂટિવ ચેર કારની ટિકિટનું ભાડું 1,880 રૂપિયા રાખવામાં આવ્યું છે. ભોપાલ- ઇન્દોર વંદેભારત ટ્રેનમાં માત્ર 29 ટકા સીટો ભરાતી હતી.

જ્યારે ઈન્દોર-ભોપાલ ટ્રેનમાં 21 ટકા સીટ અનામત હતી. લગભગ 3 કલાકની સફર નક્કી કરનારી આ ટ્રેનમાં AC ચેર કારનું ભાડું 950 રૂપિયા, જ્યારે એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું 1,525 રૂપિયા રાખવામાં આવ્યું છે. જાણકારોનું કહેવું છે કે, ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં ખાલી સીટોની મોટી સંખ્યાને જોતા તેના ભાડામાં સારો એવો ઘટાડો કરી શકાય છે. દેશની સૌથી આધુનિક અને તેજ ગતિવાળી વંદે ભારત ટ્રેનોની સૌથી લાંબી મુસાફરી લગભગ 10 કલાકની છે, જ્યારે સૌથી નાની મુસાફરી 3 કલાકની છે.

તેમાંથી કેટલીક ટ્રેનોમાં સીટો ખાલી રહેવાની સમસ્યા દૂર કરવા માટે ભાડાની સમીક્ષા કરવામાં આવી રહી છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારી કહ્યું કે, તેની પાછળ વિચાર એવો છે કે બધી વંદેભારત ટ્રેનમાં મુસાફરોને સુવિધાજનક સફરનો અવસર મળે. અમે સ્થિતિની સમીક્ષા કરી છે અને અમારું મંતવ્ય છે કે વંદેભારત ટ્રેન, ખાસ કરીને ઓછા અંતરવાળી ટ્રેનનું ભાડું ઘટાડી દેવામાં આવે, તો તે વધારે સારું કરી શકશે. અમે વિચારીએ છીએ કે વધુમાં વધુ લોકો આ ટ્રેનમાં સફર કરે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.