રાજ ઠાકરેએ બર્થડે કેક પર ઔરંગઝેબનો ફોટો લગાવ્યો, ગળેથી કાપીને ઈરાદો સ્પષ્ટ કર્યો

MNS વડા રાજ ઠાકરે હિન્દુવાદી રાજકારણ કરે છે, પરંતુ તેમણે ઔરંગઝેબને લઈને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં રમખાણો પર કોઈ નિવેદન આપ્યું નથી. પણ હવે તેમણે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ બુધવારે પોતાનો 55મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો. મહારાષ્ટ્રના રાજકારણમાં હોટ ટોપિક બની રહેલા મુઘલ બાદશાહ ઔરંગઝેબ સાથે જોડાયેલા વિવાદ પર અત્યાર સુધી મૌન રહેલા રાજે બુધવારે બર્થડે કેક દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. કંઈપણ બોલ્યા વિના, તેણે ઔરંગઝેબના ફોટા સાથે જન્મદિવસની કેકમાં મુઘલ બાદશાહના ગળા પર સીધો છરી મારીને બતાવ્યું કે, તેઓ આ મુદ્દા પર કેવી રીતે વિચારી રહ્યા છે.

રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા આપવા માટે મોટી સંખ્યામાં MNS કાર્યકર્તાઓ તેમના નિવાસસ્થાને એકઠા થયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ તેમની સામે એક મોટી કેક લઈને આવ્યા હતા. આ કેક પર મુગલ બાદશાહ ઔરંગઝેબની તસવીર છપાયેલી હતી. કાર્યકર્તાઓએ રાજ ઠાકરેને આ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવા વિનંતી કરી હતી. કાર્યકર્તાઓની વિનંતી પર, રાજ ઠાકરેએ છરી ઉપાડી અને સીધો જ કેક પર રહેલા મુઘલ બાદશાહના ફોટોના ગળા પર મારી દીધી. આ પછી, તેમણે ગળું કાપતા હોય તેવા અંદાજમાં છરીનો ઉપયોગ કર્યો અને જન્મદિવસની ઉજવણીની સાથે સાથે, તેમના કાર્યકર્તાઓને આ મુદ્દે પાર્ટીનું વલણ પણ સૂચવ્યું.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઔરંગઝેબના મુદ્દે શાસક અને વિપક્ષ સતત એકબીજા પર ટિપ્પણી કરી રહ્યા છે. હિંદુવાદી રાજનેતા રાજ ઠાકરે અત્યાર સુધી આ મુદ્દે મૌન હતા, પરંતુ બુધવારે તેમણે કેક કાપીને પોતાના સ્ટેન્ડ વિશે બધાને જાણ કરી દીધી હતી. આ સાથે એ પણ બતાવી દીધું કે, તે આ મામલે કેવું કડક વલણ અપનાવશે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં 7 જૂને ઔરંગઝેબ અને ટીપ સુલતાનના મહિમા સામે વિરોધ અને બંધના એલાનને લઈને હિંસા ફાટી નીકળી હતી. અને ત્યાર પછી આ હિંસા મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં પણ ફેલાઈ ગઈ હતી. વિરોધ પક્ષો આ માટે સત્તાધારી BJP-શિવસેના (શિંદે જૂથ) ગઠબંધનને જવાબદાર ઠેરવી રહ્યા છે. કોંગ્રેસનું કહેવું છે કે કર્ણાટકમાં હારથી ચિંતિત BJP મહારાષ્ટ્રમાં સાંપ્રદાયિક તણાવ ભડકાવવા માંગે છે. જો કે BJPએ આ આરોપોને ફગાવી દીધા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.