બેથી વધુ બાળકો થવા પર સરકારી નોકરી જવાના ડરથી માતા-પિતાએ જ કરી દીકરીની હત્યા

રાજસ્થાનના બિકાનેરમાં 5 મહિનાની છોકરીને નહેરમાં ફેકી દેવાની ઘટના સામે આવી છે. માસૂમને કોઇ બીજાએ નહીં, પરંતુ તેના માતા-પિતાએ જ ફેકી દીધી હતી. વધારે પરેશાન કરનારી વાત એ છે કે જઘન્ય અપરાધ તેના પિતાએ પોતાની સરાકરી નોકરી બચાવવા માટે કર્યું. કોન્ટ્રાક્ટ પર મળેલી સરાકરી નોકરીમાં પરેશાનીથી બચવા માટે પિતા ઝંવરલાલે દીકરી અંશિકા ઉર્ફ અંશુને મારી નાખી. પોલીસે આરોપી પિતા અને માતા બંનેની ધરપકડ કરી લીધી છે.

ઘટના બિકાનેરના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઝંવરલાલ ચાંડાસર ગામમાં વિદ્યા સહાયકના પદ કર કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પોલીસ અધિક્ષક યોગેશ યાદવે જણાવ્યું કે, ઝંવરલાલે આ ઘટનામાં પોતાની પત્નીને પણ સામેલ કરી લીધી હતી. તેઓ બે દિવસ અગાઉ જ છત્તરગઢ સ્થિત પોતાના સાળાના ઘરે ગયા હતા. રવિવારે સાંજે CHD સ્થિત સાળાના ઘરથી પાછો દિયાતરા જતી વખત દીકરીને રસ્તામાં નહેરમાં ફેકી દીધી. પછી અંહીથી દિયાતરા માટે રવાના થઇ ગયો.

ઝંવરલાલ બાઇક પર પોતાની પત્ની અને બે બાળકો સાથે હતો. રવિવારે સાંજે 5 વાગ્યે દંપતીએ 5 મહિનાની દીકરીને ઇન્દિરા ગાંધી નહેર રોજેક્ટ (IGNP)માં ફેકી દીધી. માસૂમ દીકરીને ફેકતી જોઇને કેટલાક લોકોએ બૂમ પાડી તો બાઇક સવાર ભાગી ગયા. લોકોએ છોકરીને નહેરમાંથી બહાર કાઢી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ચૂક્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ છત્તરગઢ અને ખાજુવાળા એરિયામાં નાકાબંદી કરી દેવામાં આવી.

જ્યાં ખાજુવાળાના ટ્રેની સબ ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે દંપતીની બાઇક રોકી. પૂછપરછ કરવા પર ઝંવરલાલે સાળાના ઘરથી આવતો હોવાનું કહ્યું. શંકા જતા મુકેશ કુમારે તેમનો ફોટો ખેચી લીધો. બાઇકનો પણ ફોટો લીધો. ઝંવરલાલના આધાર કાર્ડનો પણ ફોટો મોબાઇલથી ખેચી લીધો. ત્યારબાદ જવા દીધા. ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણકારી મળી તો દિયાતરાથી ઝંવરલાલ બાબતે જાણકારી લેવામાં આવી. ત્યારબાદ દંપતીની ધરપકડ કરવામાં આવી.

ઝંવરલાલને આશા હતી કે તે જલદી કાયમી થઇ જશે. નોકરીમાં શરત છે કે બે કરતા વધુ સંતાન ન હોવા જોઇએ. જો કે, એક છોકરીને નહેરમાં ફેક્યા બાદ પણ તેના 3 સંતાન છે. તેમાં એક દીકરી તેના મોટા ભાઇએ દત્તક લઇ રાખી છે. તેમનું કહેવું છે કે દુર્ઘટનાવશ જ છોકરી નહેરમાં પડી ગઇ. ઝંવરલાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાના બે સંતાન હોવાનું શપથપત્ર આપ્યું હતું. તેને આશંકા હતી કે બે કરતા વધુ બાળકો થવા પર કાયમી નહીં થાય. એવામાં તેણે એક છોકરીને નહેરમાં ફેકીને મારી નાખી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.