આ કટ્ટર હિંદુ નેતાને રાજસ્થાનના યોગી કહેવામાં આવે છે, ભાજપે આપી છે ટિકિટ

ભાજપે રાજસ્થાન વિધાનસભા માટે ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં અલવરથી સાંસદ બાબા બાલક નાથનું નામ પણ સામેલ છે. બાબા બાલક નાથ, નાથ સંપ્રદાયના મસ્તનાથ મઠના મહંત પણ છે. આ કારણે તેઓ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવી વેશભૂષા રાખે છે અને તેમની જેમ જ ફાયરબ્રાન્ડ છે. એટલે રાજકીય ગલિયારામાં તેમને ‘રાજસ્થાનના યોગી’ કહેવામાં આવે છે. ભાજપે રાજસ્થાનમાં 7 સાંસદોને વિધાનસભાની ટિકિટ આપી છે. આ સાંસદોમાં રાજ્યવર્ધન સિંહ રાઠોર જેવા દિગ્ગજોનું નામ સામેલ છે.

બાબા બાલક નાથ અલવરથી સાંસદ છે. એ સિવાય પોતાની ફાયરબ્રાન્ડ છબીના કારણે પણ તેઓ જનતામાં ખૂબ લોકપ્રિય છે. જો રાજકીય પકડની વાત કરીએ તો અલવરની સીટ પર તેમનું વર્ચસ્વ છે જ, સાથે-સાથે પાડોશી રાજ્ય હરિયાણામાં પણ તેમની અસર છે. બાબા બાલકનાથ, યાદવ એટલે કે OBC સમુદાયથી સંબંધ ધરાવે છે. દક્ષિણી હરિયાણામાં આ સમુદાયની વસ્તી ઘણી છે. એવામાં આ વિધાનસભાની ચૂંટણી સાથે-સાથે લોકસભાની ચૂંટણી અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને બાબા બાલક નાથના પ્રભાવનો ફાયદો મળશે.

ગત દિવસોમાં તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પણ ગયા હતા. અહીં તેમણે યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ગોરખપુર મંદિરમાં બ્રહ્મલીન મહંત દિગ્વિજયનાથની 54મી અને રાષ્ટ્રસંત બ્રહ્મલીન મહંત અવૈદ્યનાથની 9મી પુણ્યતિથિના આયોજનમાં પણ હિસ્સો લીધો હતો. બાબા બાલક નાથ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં અલવરથી ભાજપના ઉમેદવાર હતા. એ વર્ષે તેમણે અહીંથી કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ભંવર જિતેન્દ્ર સિંહને ખૂબ મોટા અંતરથી હરાવી દીધી હતી. ત્યારબાદ જ બાબા બાલક નાથનું નામ રાજસ્થાનના રાજકારણમાં ઉભર્યું છે. આ વખત પણ જે પ્રકારે ભાજપે બાબા બાલક નાથનો ઉપયોગ કર્યો છે, તે કોંગ્રેસ માટે ખૂબ મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અલવરમાં જીત બાદ બાબા બાલક નાથે પોતાની સક્રિયાતથી ખૂબ સારી પકડ બનાવી લીધી છે. બાબા બાલક નાથનું હાલમાં જ પ્રમોશન પણ થયું છે. ત્યારે ભાજપે રાજસ્થાનમાં નવી ટીમ બનાવી હતી. એ ટીમમાં બાબા બાલક નાથને ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી. થોડા સમય અગાઉ તેમનો એક વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો, જેમાં તેમણે પોલીસ સ્ટેશનામાં ઘૂસીને એક DSPને ધમકાવ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.