કબાટ ખોલતા નીકળી 2000ની 7000 કરતા વધુ નોટ, સોનું પણ મળ્યું, જેના પર લખ્યું...

રાજસ્થાનની રાજધાની જયપુરમાં સચિવાલયથી થોડે દૂર 2.31 કરોડ રૂપિયા કરતા વધુનું કાળું ધન મળવાની ઘટના ખૂબ જ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે જે દિવસે RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણથી પરત લેવાનો નિર્ણય લીધો, એ જ દિવસે યોજના ભવન સ્થિત સૂચના અને ટેક્નોલોજી વિભાગ (DOIT) ઓફિસમાં રાખેલી આ રકમ જપ્ત કરવામાં આવી. કબાટમાં મળેલી આ રકમમાં 2000ની 7,298 રૂપિયા એટલે કે 1,45,96,000 રૂપિયા સામેલ હતા. એ સિવાય 500ની 17,107 નોટ મળી, જેની કિંમત 85,53,500 રૂપિયા છે. સાથે જ એક કિલો સોનાની એક બિસ્કિટ પણ મળી. બિસ્કિટ પર મેડ ઇન સ્વિત્ઝરલેન્ડ લખ્યું હતું. સોનાની કિંમત બજાર ભાવ મુજબ લગભગ 62 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ વિભાગમાં દસ્તાવેજોના ડિજિટલીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે વિભાગની ઓફિસમાં રાખેલી એક કબાટની ચાવી મળી રહી નહોતી. આ દેખરેખ DOITના ધિકારીઓએ ટેક્નિશિયનને બોલાવીને લોક તોડાવી દીધું. દરવાજો ખોલતા તેમણે ફાઈલો સિવાય એક શંકાસ્પદ બેગ પણ જોવા મળી. તેની જાણકારી DOITના એક એડિશનલ ડિરેક્ટર તરફથી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર જયપુર સાહેર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવ પણ પહોંચ્યા.

જ્યારે બેગ ખોલવામાં આવી તો તેમાંથી 2.31 કરોડ રૂપિયાની રોકડ અને એક કિલોગ્રામ વજનની સોનાની બિસ્કિટ જપ્ત કરવામાં આવી. હવે આ બાબતે જયપુર સિટી પોલીસ અત્યાર સીધી 6 લોકોને કસ્ટડીમાં લઈ ચૂકી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ કાળું ધન કોનું છે. પ્રાથમિક તપાસથી જાણકારી મળી જે કાળું ધન વિભાગના સરકારી અધિકારિઓનું છે. તેમણે જ કબાટમાં પૈસા છુપાવી રાખ્યા હતા. પૈસા એ કોન્ટ્રાક્ટરોના માધ્યમથી હાંસલ કરવામાં આવ્યા હતા, જેમને થોડા મહિના અગાઉ ટેન્ડર વહેચવામાં આવ્યા હતા. જો કે, સ્પષ્ટ જાણકારી મેળવવાની અત્યારે બાકી છે.

આ દરમિયાન પોલીસ સરકારી વિભાગના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે અને અધિકારીઓ પર શકંજો કસવાનો પ્રયાસ કરી રહી છે. તો મુખ્યમંત્રી અશોક ગહલોત પણ આ બાબતે પૂરું અપડેટ પર વ્યક્તિગત રૂપે નજર રાખી રહ્યા છે. બીજી તરફ સરકારી વિભાગના કબાટમાંથી કાળા ધનની જપ્તીને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે. ભાજપના સંસદ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંગ શેખવાતે એક ટ્વીટમાં કહ્યું કે, કાળું ધન ગળીને ગેહલોત સરકારનું પેટ ઉપર સુધી ભરી દેવામાં આવ્યું છે એટલે આજે સચિવાલયે કરોડોની રોકડ અને સોનુ કાઢી દીધું. આ એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે વિકાસમાં સતત નીચે જઈ રહેલા રાજ્યમાં ભ્રષ્ટાચાર કઈ ઊંચાઈ પર પહોંચી ગયું છે. આ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. સરકારી સફાઇ ચાલુ છે, પરંતુ જનતાથી કશું જ છુપાયેલું નાથી.

નેતા પ્રતિપક્ષે કહ્યું કે, ભ્રષ્ટાચારની ગંગોત્રી આખરે સચિવાલય પહોંચી ગઈ. ત્યાં કરોડોની રોકડ અને સોનું જપ્ત થવું એ વાતના પુરાવા છે કે ગહલોત સરકાર રક્ષકની ભૂમિકામાં છે. 2000 રૂપિયાની નોટોને ચલણથી બહાર કરવાનું નિવેદન આપનારા મુખ્યમંત્રીજી તમે માત્ર એટલું કહી દો કે, તમારું સચિવાલય 2000ની અગણિત નોટોને કેમ ઓકી રહ્યું છે? યોજના ભવનના સૂચના અને ટેક્નોલોજી વિભાગમાં કયા ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે કરોડો રૂપિયા છુપાવીને રાખવામાં આવ્યા. પોતાના કાળા કારનામાઓને છુપાવવા માટે ઇમરજન્સીમાં બોલાવવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં IT, ED અને ACB જેવા વિભાગોના કોઈ અધિકારી સામેલ નહોતા, શું માંજરો છે?

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.