મારા પપ્પા પાછા આપી દો, બીજુ કંઈ નથી જોઈતું... શહીદની દીકરીનો આક્રંદ

PC: amarujala.com

રાજોરી જિલ્લાની કોટરંકા સબ ડિવીઝનના કેસરી હિલ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ થઈ ગયા. આતંકીઓની હાજરીની સૂચના પર સવારથી જ મુઠભેડ ચાલી રહી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ તરફથી પાથરવામાં આવેલા IED વિસ્ફોટમાં મેજર સહિત છ જવાન ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. સવારે જ બે જવાને દમ તોડી દીધો. જ્યારે ત્રણે ઉધમપુર કમાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. આતંકી સંગઠન પીપલ્સ અગેન્સ્ટ ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ઘટનાની જવાબદારી લીધી છે.

રાજોરીના કંડી ક્ષેત્રમાં શુક્રવારે આતંકીઓ સાથે ભુઠભેડમાં જ્યૌડિયાંના ગામ ચક કિરપાલ પુર નિવાસી નીલમ સિંહ શહીદ થઈ ગયા છે. દીકરાની શહાદતની સૂચના બાદ ગામમાં માતમ છે. શહીદ નીલમ સિંહ સેનાની નવ પેરા કમાન્ડોમાં તહેનાત હતા. હુમલામાં ઉત્તરાખંડના રુચિન સિંહ રાવતના પુત્ર રાજેન્દ્ર સિંહ, ગ્રામ કુનીગઢ, તહસીલ ગૈરસૈંણ નિવાસી પણ શહીદ થયા છે.

આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં હિમાચલ પ્રદેશના બે જવાનોએ પણ શહાદત વ્હોરી છે. સિરમૌર જિલ્લાના શિલાઈ ગામના પ્રમોદ નેગી અને કાંગડા જિલ્લાના વિકાસ ખંડ સુલહના અંતર્ગત આવતી ગ્રામ પંચાયત મરુહાંના ગામ ચટ્ટિયાલાના અરવિંદ કુમાર (33) શહીદ થયા છે. આ ઉપરાંત, સિદ્ધાંત ક્ષેત્રી, જિલ્લો- દાર્જિલિંગ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

જ્યૌડિયાંના ગામ ચક કિરપાલ પુર નિવાસી નીલમ સિંહ પરિણીત છે અને તેમની એક દીકરી પવના દેવી અને દીકરો અખિલ સિંહ છે. છ મેના રોજ શહીદના દરિયા ચિનાબના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ક્ષેત્રના લોકો તરફથી બાઇક રેલી કાઢવામાં આવશે, જે શહીદ નીલમ સિંહના પાર્થિવ શરીર સાથે અખનૂરથી શહીદના ઘર સુધી જશે.

શહીદ નીલમ સિંહની દીકરી પવના, બસ મારા પપ્પાને પાછા આપી દો બીજું કંઈ નથી જોઈતું, કહીને સતત આંસુ વહાવી રહી છે. છેલ્લીવાર પપ્પા આવ્યા હતા તો લિંટર નાંખવાની વાત કહી રહ્યા હતા. માસૂમ દીકરી અને પત્નીની ચિત્કારથી દરેકની આંખો નમ હતી. આ ગમગીન માહોલ રાજોરીમાં શુક્રવારે આતંકીઓ સાથે મુઠભેડમાં શહીદ થયેલા નીલમ સિંહના ઘરે બન્યો હતો. દીકરાની શહાદતના સમાચાર પહોંચતા જ ગામમાં માતમ છવાઈ ગયો. નીલમ સેનાની નવ પૈરા કમાન્ડોમાં તહેનાત હતા.

શહીદ નીલમ સિંહના શહીદ થવાના સમાચાર પહોંચતા જ ગામમાં માતમ છે. કોઈપણ નીલમના શહીદ થવાના સમાચાર પરિવારજનોને જણાવવાની હિંમત ભેગી કરી શક્યું ન હતું. પરંતુ, બાદમાં ઘરની આસપાસ લોકોની ભીડ જોઈ પરિવારજનોને અંદેશો થવા માંડ્યો. જાણકારી મળતા જ વૃદ્ધ પિતા, શહીદની પત્ની અને બાળકો રડવા માંડ્યા. નીલમની માતાનું પહેલા જ નિધન થઈ ચુક્યુ છે. પરિવારમાં તેમના પિતા ગુરદેવ સિંહ, પત્ની બિંદુ દેવી, નાનો ભાઈ અંગદ સિંહ, દીકરી પવના દેવી, દીકરો અખિલ સિંહ છે.

આતંકીઓ માટે સેફ ઝોન બનેલી રાજોરી-પુંછની ગુફાઓ સેના અને ગુપ્તચર એજન્સીઓ માટે પહેલી બની ગઈ છે. ગત 18 મહિનાથી આ ગુફાઓના ભેદને અભેદ કરવામાં તમામ સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ થઈ ગઈ છે. ગત 18 મહિનામાં ભાટાદૂડિયાના જંગલોમાં આતંકી આરામથી ગુફાઓમાં સંતાઈને ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પરંતુ, એક પણ આતંકી ના તો મરાયો છે અને ના પકડાયો છે. 11 ઓક્ટોબર, 2021થી ભાટાદૂડિયામાં સંતાયેલા આતંકી હજુ સુધી સેનાના 19 જવાનોને શહીદ કરી ચુક્યા છે. ઘાત લગાવીને હુમલો કરીને તેમજ મુઠભેડની ચાર ઘટનાઓ બની ચુકી છે પરંતુ, એક પણ આતંકી હજુ સુધી મરાયો નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, આતંકીઓને ગુફાઓમાંથી બહાર કાઢવામાં સફળતા નથી મળી. જ્યારે આતંકી દર વખતે સેનાને મોટું નુકસાન પહોંચાડી જાય છે.

11 ઓક્ટોબર, 2021ના રોજ ભાટાદૂડિયાના જંગલમાં સંતાયેલા આતંકીઓએ સર્ચ કરી રહેલા સેનાના દલ પર હુમલો કરી દીધો હતો. અત્યારસુધી 18 મહિના થઈ જવા છતા આ આતંકીઓ અંગે જાણકારી નથી મળી. 11 ઓક્ટોબરથી લઇને અત્યારસુધી પુંછ અને રાજોરીમાં આતંકીઓએ છ હુમલાને અંજામ આપ્યો છે. તેમા 19 જવાન શહીદ થયા. નવ નાગરિકોના જીવ ગયા. જ્યારે, એક પણ આતંકી મરાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp