કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીનું 80 વર્ષની વયે નિધન

રાજસ્થાનની રાજધાની જયપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કલવીનું નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી SMS હૉસ્પિટલમાં દાખલ હતા. તેમનું સ્વાસ્થ્ય સારું નહોતું. તેમણે SMS હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. લોકેન્દ્ર સિંહ કલવી પહેલા બ્રેન સ્ટ્રોકનો શિકાર થયા હતા. આ કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હવે અચાનક કાર્ડિયક અરેસ્ટ (હાર્ટ એટેક)ના કારણે ડૉક્ટર તેમને બચાવી ન શક્યા.

લોકેન્દ્ર સિંહ કલવીનો નાગૌર જિલ્લાના કલવી ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ લોકેન્દ્ર સિંહ કલવીનું હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમની સારવાર જૂન 2022 બાદ જ ચાલી રહી હતી. કરણી સેનાની સ્થાપના કરનારા લોકેન્દ્ર સિંહ કલવી ઘણા વર્ષોથી પોતાના સમાજના હિત અને માગણીઓને લઈને અગ્રેસર રહ્યા હતા. લોકેન્દ્ર સિંહ કલવી ઘણા મુદ્દાઓને લઈને મોટાભાગે ચર્ચામાં બન્યા રહેતા હતા.

ખાસ કરીને રાજપૂત સમાજની અસ્મિતાને લઈને તેઓ ખૂબ સજાગ અને અગ્રેસર રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, લોકેન્દ્ર સિંહ કલવીના પિતા કલ્યાણ સિંહ કલવી થોડા સમય માટે રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા હતા. લોકેન્દ્ર સિંહ કલવી સામાજિક મુદ્દાઓ સાથે રાજનીતિમાં પણ સક્રિય રહેતા હતા. તેમણે નગૌર લોકસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ આ ચૂંટણીમાં તેમને હાર મળી હતી. વર્ષ 1998માં તેમણે ભાજપના ઉમેદવાર તરીકે બાડમેરથી ચૂંટણી લડી હતી, પરંતુ એ વખતે પણ તેમને હાર મળી હતી.

વર્ષ 2003માં કેટલાક અન્ય લોકો સાથે મળીને તેમણે એક સામાજિક મંચ બનાવ્યું હતું અને અગડી જાતિઓ માટે અનામત આપવાની માગને લઈને અભિયાન ચલાવ્યું હતું. લોકેન્દ્ર સિંહ કલવીને રાજનીતિ વારસામાં મળી હતી. તેમના પિતા કલ્યાણ સિંહ કલવી ચંદ્રશેખરની સરકારમાં મંત્રી રહ્યા હતા. કહેવામાં આવે છે કે, તેઓ ચંદ્રશેખરના ભરોસાપાત્ર લોકોમાંથી એક હતા. લોકેન્દ્ર સિંહ કલવીએ અજમેરની મેયે કૉલેજથી અભ્યાસ કર્યો હતો. મેયો કૉલેજ પૂર્વ રાજપરિવારો માટે અભ્યાસ માટે પસંદગીની રહી છે.

શું છે કરણી સેના?

શ્રી રાજપૂત કરણી સેના (SRKS) એક રાજપૂત જાતિનું સંગઠન છે. તેની સ્થાપના વર્ષ 2006માં લોકેન્દ્ર સિંહ કલવીએ કરી હતી. તેનું મુખ્યાલય જયપુરમાં છે. આ સંગઠન જયપુર સિવાય નાગૌર અને સિકર જિલ્લામાં પણ સક્રિય છે. લોકેન્દ્ર સિંહે આ સંગઠનને ભાજપ વિરોધી નેતા દેવી સિંહ ભાટી સાથે મળીને તૈયાર કર્યું હતું. કરણી સેનાએ વર્ષ 2008માં આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. વિરુદ્ધના કારણે આ ફિલ્મ રાજસ્થાનમાં રીલિઝ થઈ શકી નહોતી. વર્ષ 2018માં બોલિવુડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના સેટ પર કથિત રૂપે દીપિકા પાદુકોણ દ્વારા નિભાવવામાં આવેલી રાણી પદ્મિનીની ભૂમિકા માટે મારામારી કરી હતી.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.