અનાજના ડ્રમમાં પોતાના 4 બાળકોને પુરીને મોતને ઘાટ ઉતાર્યા પછી મા પણ લટકી ગઇ

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલાએ પોતાના ચાર બાળકોની હત્યા કરી નાખી  અને પછી પોતે પણ લટકી ગઇ હતી. આ મહિલાને 3 પુત્રી અને એક પુત્ર હતો, જેમના મૃતદેહ અનાજના ડ્રમમાંથી મળી આવ્યા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સાંજે બાડમેર જિલ્લાના માંડલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મહિલા ગર્ભવતી હતી.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે બપોરે બની હતી. બાનિયાવાસ ગામની રહેવાસી 27 વર્ષની ઉર્મિલાએ તેના ચાર બાળકો  8 વર્ષનીભાવના, 5 વર્ષનો વિક્રમ, 3 વર્ષની વિમલા અને 2 વર્ષનીમનીષાને અનાજના ડ્રમમાં બેસાડી અને ઢાંકણું બંધ કરી દીધું હતું. ઘટના દરમિયાન મહિલાનો પતિ જેઠારામ મજુરી માટે જોધપુરના બાલેસર ગયો હતો.

મહિલાના સંબંધી માંગીલાલે કહ્યું કે,અમે અલગ રહીએ છીએ. દૂર દૂર સુધી ઘરો બનેલા છે. ઉર્મિલાનો પતિ જેઠારામ શનિવારે સવારે કામે ગયો હતો. સાંજે અમે ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને ઉર્મિલા ન દેખાતા ઘરની મહિલાઓએ ઘરે પહોંચીને ઉર્મિલાને બુમ પાડી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઇ જવાબ ન મળતા મહિલાઓએ ઘરમાં જઇને જોયું તો ઉર્મિલા ફાંસી પર લટકેલી હતી. જ્યારે બાળકોને શોધ્યા તો અનાજ ભરવાના ડ્રમમાંથી મળી આવ્યા હતા, પરંતુ તેમના મોત થઇ ચૂક્યા હતા.બાળકોના શ્વાસ રૂંધાઇ જવાને કારણે મોત થયા હતા.

જેઠારામના બનેવી પ્રદીપના જણાવ્યા અનુસાર ઉર્મિલાએ શનિવારે સવારે તેના પતિને ભોજન કરાવ્યું હતું અને ટિફિન પેકિંગ કરીને આપ્યું હતું. સાંજે પાંચ વાગ્યે ઉર્મિલાએ પતિને ફોન કરીને કહ્યું કે પિતાજીની તબિયત સારી નથી, ઘરે આવો. ગામમાં પહોંચીને જેઠારામને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.

ઉર્મિલાના કાકા ડુંગરરામે પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે મારી ભત્રીજીને છેલ્લાં 5 વર્ષથી તેના સાસરીયા હેરાન કરતા હતા. ભત્રીજીએ આ વિશે અનેક વખત વાત પણ કરી હતી અને સામાજિક સ્તર પર પંચાયત પણ બોલાવવામાં આવી હતી. કાકાએ ફરિયાદમાં કહ્યું છે કે જમાઇએ જ ભત્રીજી ઉર્મિલા અને બાળકોની હત્યા કરી છે.

સર્કલ સ્ટેશન ઓફિસર કમલેશ ગેહલોતે કહ્યું કે, પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલતો હતો. મહિલાના લગ્ન 2014માં થયા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળેપર પહોંચી ત્યારે મહિલાના ગળામાંથી ફાંસો મળી આવ્યો હતો અને તેનો મૃતદેહ ઘર પાસે આંગણામાં પડેલી હતી. જ્યારે બાળકો અનાજના ડ્રમમાં હતા. પાંચેય મૃત્યુ પામ્યા હતા. પિયર પક્ષે પતિ વિરુદ્ધ હત્યા અને દહેજ માટે ઉત્પીડનનો રિપોર્ટ નોંધાવ્યો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.