મુસ્લિમોનો રસ્તો નથી, હવે બુલડોઝર લઈને યાત્રા કાઢીશુઃ VHPની જાહેરાત

અમે જ્યાં રહીએ છીએ ત્યાંના સંવિધાનને માનીએ છીએ. અમે રૂટ પર જ માર્ચ કાઢી. અમે પોલિસ અને પ્રશાસનની પરવાનગી લઇને જ યાત્રા કાઢી હતી. જય શ્રી રામના નાર લગાવવા ખોટું નથી. બીજીવાર અને બુલડોઝર પર જ ભગવાન રામની પ્રતિમા મુકીને યાત્રા કાઢીશું. આ વાત હાવડામાં રામનવમી શોભાયાત્રાની પ્રમુખ સંયોજક અને દુર્ગાવાહિની દક્ષિણ બંગની પ્રમુખ ઋતુ સિંહે કહી. તેમજ, પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસાને લઇને રાજ્યમાં રાજકારણ પણ ગરમાયુ છે. હિંદુ સંગઠનોએ હાઈકોર્ટ જવાની તૈયારી કરી છે. તેમજ, ઘટનાની તપાસ NIA પાસે કરાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ગેરકાયદેસર કશું જ નથી કર્યું. રામ નવમી પર યાત્રા કાઢવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. બેવાર પોલીસ અને પ્રશાસન સાથે અમારી બેઠક થઈ. બેઠકમાં જણાવી દેવામાં આવ્યું હતું કે, જુલૂસમાં જય શ્રી રામના નારા લાગશે. એક ચેનલ સાથે વાતચીતમાં હિંદુ સંગઠનની નેતાએ કહ્યું કે, શું રસ્તા તેમના (મુસ્લિમો) છે, અમારા નથી? ત્યાં હિંદુ પણ રહે છે. આઠ-દસ કોમ્પ્લેક્સ છે જ્યાં માત્ર હિંદુઓ રહે છે. મુસ્લિમોનો રસ્તો નથી. દસ વર્ષથી અમે એ જ રસ્તા પર યાત્રાનું આયોજન કરીએ છીએ.

ઋતુ સિંહે કહ્યું કે, અમે ડીજે લઇને નીકળ્યા હતા. અમારા જુલૂસમાં ક્યાંય બુલડોઝર નહોતું. તેમ છતા પણ અમને લોકોને કહેવામાં આવ્યું કે, અમે યાત્રામાં બુલડોઝર લઈને ગયા હતા, જો એવો આરોપ લાગી રહ્યો છે તો અમે આ વખતે જાહેરાત કરીએ છીએ કે બીજીવારની યાત્રામાં બુલડોઝર હશે. તેમણે કહ્યું કે, બુલડોઝરમાં જ ભગવાન શ્રી રામને બિરાજમાન કરીને યાત્રા કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે, હાવડા હિંસાના મામલામાં અમે CBI અને INAની તપાસની માંગ કરીશું. હાઈકોર્ટમાં અરજી કરવા જઈ રહ્યા છીએ. VHP તરફથી રાજ્યપાલને પણ આવેદન આપીશું.

છેલ્લાં કેટલાક વર્ષોથી જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં કોઈપણ ધાર્મિક સમારોહ અથવા જુલૂસને લઈને ઝડપો થાય છે, તો આવનારા થોડાં દિવસોમાં જે કંઈ પણ હોય છે, તે રાજકીય ઘમાસાન અને પૈસા ખર્ચ કરનારા એપિસોડની એક શ્રૃંખલા થાય છે. આશ્ચર્યની વાત નથી કે હાવડા જિલ્લામાં ગુરુવારે રામનવમીના જુલૂસને લઈને થયેલી ઝડપો, જે શુક્રવાર બપોર સુધી ચાલુ રહી, એ પણ આ પ્રકારની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એ સ્વીકાર કરતા કહ્યું હતું કે, સ્થિતિને ગંભીર થતા પહેલા જ નિયંત્રણમાં લાવવામાં રાજ્ય પોલીસ તરફથી ચૂક થઈ છે, જુલૂસના આયોજકોને, જે તેમના અનુસાર BJPના સમર્થક છે, હિંસા માટે જવાબદાર ગણાવ્યા છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.