બળાત્કારના દોષી રામ રહીમ પર સાતમી વાર સરકાર મહેરબાન, 30 દિવસના પેરોલ પર આઝાદ

બળાત્કારનો દોષી ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને ફરી એક વખત પેરોલ પર જેલમાંથી મુક્તિ મળી ગઈ છે. આ વખત આ અવધિ 30 દિવસની છે. આ પહેલીવાર નથી આ પહેલા 6 વાર તેને પેરોલ મળ્યા છે અને હવે સાતમી વાર રાજ્ય સરકાર આ બળાત્કારી પર મહેરબાન થઈ છે અને તેને જેલમાં કાઢીને 30 દિવસના પેરોલ આપી દીધા છે. આ અગાઉ પણ ગયા વર્ષે 40-40 દિવસો માટે રામ ગુરમીત રહીમને છોડવામાં આવી ચૂક્યો છે. ગુરમીત રામ રહીમ ડેરાના સિરસા સ્થિત મુખ્યાલયમાં પોતાના આશ્રમ પર 2 મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના આરોપમાં દોષી સાબિત થવા પર તેને 20 વર્ષની સજા મળી છે. ગુરમીત રામ રહીમને ઑગસ્ટ 2017માં પંચકુલામાં CBIની એક વિશેષ કોર્ટે દોષી ઠેરવ્યો હતો.

ગુરમીત રામ રહીમને વર્ષ 2002માં ડેરા પ્રબંધક રંજીત સિંહની હત્યાનું ષડયંત્ર રચવા માટે પણ ગયા વર્ષે 4 અન્ય લોકો સાથે દોષી ઠેરવવામાં આવ્યો હતો. ડેરા પ્રમુખ અને 3 અન્ય લોકોને વર્ષ 2019માં 16 વર્ષથી વધુ સમય અગાઉ એક પત્રકારની હત્યાના કેસમાં પણ દોષી કરાર આપવામાં આવ્યો હતો. રોહતકની સુનારિયા જેલમાંથી મુક્ત થયા બાદ ગુરમીત રામ રહીમના કાફલાની ગાડીઓ બરનાવા સ્થિત ડેરા આશ્રમમાં પહોંચી હતી. રામ રહીમનો બરનાવા સ્થિત ડેરા આશ્રમમાં જ 30 દિવસોની પેરોલ અવધિમાં રહેવાનો પ્લાન છે.

એક રિપોર્ટ મુજબ, રામ રહીમને સિરસા ડેરામાં જવાની મંજૂરી નથી. એ અગાઉ તેના માટે સિરસાથી ઘોડા અને ગાયો પહોંચાડવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે. રામ રહીમનો 15 ઑગસ્ટના રોજ જન્મદિવસ છે એટલે સજા મળ્યા બાદ તે પહેલી વખત જેલથી બહાર પોતાનો જન્મદિવસ મનાવશે. કેદના 30 મહિનામાં રામ રહીમની આ સાતમી પેરોલ છે.

રામ રહીમનો એક વીડિયો બુધવારે વાયરલ થયો હતો, જેમાં તે પૂર પીડિત લોકો માટે ભગવાન પાસે દુવા માગી રહ્યો છે અને ડેરા પ્રેમીઓને રાહત કાર્યમાં આગળ આવીને હિસ્સો લેવાની અપીલ કરી રહ્યો છે. જો કે, આ વીડિયો રામ રહીમની ગત પેરોલનો છે, જ્યારે આસામમાં પૂર આવ્યો હતો.

શું હોય છે પેરોલ?

પેરોલ સજા પૂરી થવા અગાઉ ગુનેગારને જેલમાંથી મળેલી થોડા દિવસની મુક્તિ હોય છે, જેના માટે સારો વ્યવહાર હોવો પણ એક શરત છે. તેના માટે કેદીને જેલથી બહાર નીકળવા માટે જરૂરી કારણ બતાવવું પડે છે અને સંબંધિત રાજ્યની સરકાર તેને પેરોલ આપવા પર અંતિમ નિર્ણય કરે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.