આંસૂ પણ સૂકાયાઃ માતા, પિતા, મોટા બાપા, મોટી મા, ભાઈનું મોત, હવે બચ્યા બસ 3 બાળકો

રાજધાની જયપુરના ચક્સુ વિસ્તારના ડોયા કી ધાણી ગામમાં રહેતી 13 વર્ષની આરતી ચોવીસ કલાકમાં એટલું બધું રડી છે, હવે માસૂમ દીકરીના આંસુ પણ સુકાઈ ગયા છે. પિતાના અવસાન થયા બાદ તેની માતા અને ભાઈનું પણ અવસાન થયું છે. આ સાથે મોટા બાપુ અને મોટી માંએ પણ દુનિયા છોડી દીધી છે. બે પરિવારના મોભીઓના મૃત્યુ બાદ પરિવારમાં માત્ર ત્રણ બાળકો જ બચ્યા છે.

સમાજ અને પરિવારજનોના લોકોએ ચાર મૃતદેહોને રોડ પર મૂકીને વિરોધ શરૂ કર્યો છે અને આ વિરોધ ઘણાં કલાકો સુધી ચાલુ રહ્યો હતો. આજે આ મામલે CM અશોક ગેહલોતે માનવતા દાખવી છે અને હવે પરિવારના સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જો કે, પરિવારના લોકો દરેક સભ્યના મૃત્યુ પર 25 લાખ રૂપિયાની માંગ કરી રહ્યો છે અને બે લોકોને સરકારી નોકરીની પણ માંગ કરી રહ્યો છે. સાંસદ કિરોરી લાલ મીણા પણ સ્થળ પર હાજર હતા અને પીડિત પરિવારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.

CM અશોક ગેહલોતે અકસ્માત અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે જયપુરના કોટખાવડામાં રવિવારે એક માર્ગ અકસ્માતમાં 4 લોકોના અકાળે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. CM અશોક ગેહલોતે કહ્યું કે, મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી ચિરંજીવી અકસ્માત વીમા યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

હકીકતમાં, કુશલપુરાના ડોયા કી ધાણી નિવાસી મદન લાલનું 17 મેના રોજ અવસાન થયું હતું. 19 મેના રોજ પરિવારના 6 સભ્યો તેની વિધિ કરાવવા હરિદ્વાર ગયા હતા. તેઓ રવિવારે પરત ફર્યા હતા અને એક ઝાડની છાયા નીચે તેમના સંબંધીઓની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ બાજુ ચિમાપુરા તરફથી એક નિયંત્રણ બહારની જીપ તેમના પર દોડી આવી હતી અને તેમને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં મોટા ભાઈ સીતારામ, તેની પત્ની અનિતા, મદન લાલની પત્ની સુનીતા અને પુત્ર ગોલુનું મોત થયું હતું.

જ્યારે, મદનલાલની 13 વર્ષની પુત્રી આરતી અને પુત્ર વિકી ઘાયલ થયા હતા. અકસ્માત બાદ જીપ ચાલક નાસી ગયો હતો. જેને પોલીસ શોધી રહી છે. પોલીસને જીપમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટના રવિવારે સવારે 11 વાગ્યા બાદ બની હતી. ત્યારપછી પરિવારજનોએ મૃતદેહ ઉપાડવાની ના પાડી હતી અને તમામ મૃતદેહોને રસ્તા પર મૂકીને વિરોધ કર્યો હતો. આ પ્રદર્શનમાં સાંસદ કિરોરી લાલ મીણા પણ દૌસાથી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. આજે આ મામલે CM અશોક ગેહલોતે રાહત આપી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.