રેપ-હત્યાનો દોષી રામ રહીમ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર, 21 દિવસની પેરોલ

બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની રોહતક જેલમાં સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ આજે જેલમાંથી બહાર આવ્યો છે. એક દિવસ પહેલા જ હરિયાણા સરકારે તેની 21 દિવસની પેરોલ મંજૂરી આપી હતી. આ પેરોલ મળ્યા બાદ રામ રહીમ આ વર્ષમાં ત્રીજી વખત જેલમાંથી બહાર આવ્યો છે.

હરિયાણા સરકારે સોમવારે સાંજે રામ રહીમના પેરોલને મંજૂરી આપતાની સાથે જ જેલના મુખ્ય જેલ ચોક પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. રામ રહીમ ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં રહેશે. તે અગાઉ આ વર્ષે જુલાઈમાં પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો. તે અત્યાર સુધીમાં સાત વખત જેલની બહાર આવી ચૂક્યો છે.

પેરોલ આપવાનો રાજ્યનો અધિકાર હોય છે અને જેલમાં કેદીના સારા વ્યવહારને ધ્યાનમાં રાખીને આપાવમાં આવે છે.

ગુરમીત રામ ઉર્ફે બાબા રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર અને હત્યાના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો, પરંતુ આ 6 વર્ષમાં તે 7 વખત પેરોલ પર બહાર આવ્યો છે. પોતાની બે શિષ્યાઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષ અને હત્યાના કેસમાં ઉમર કેદની રોહતક જેલમાં સજા કાપી રહ્યો છે.

હવે ક્યારે ક્યારે રામ રહીમને પેરોલ મળી તે જોઇએ.

24 ઓકટોબર 2020માં રામ રહીમને 24 કલાકના સીક્રેટ પેરોલ પર જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. તે વખતે રામ રહીમની પેરોલને એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે માત્ર 4 લોકો જે એની માહિતી હતી.

21 મે 2021ના દિવસે રામ રહીમને 48 કલાકની કસ્ટડી પેરોલ મળી હતી.પોતાની બિમાર માતાને મળવા રામ રહીમ ગુરગ્રામ ગયો હતો.

7 ફેબ્રુઆરી 2022ના દિવસે રામ રહીમને 21 દિવસની પેરોલ મળી હતી. તે વખતે રામ રહીમ ગુરુગ્રામમાં પોતાના આશ્રમે ગયો હતો.

જૂન 2022માં રામ રહીમને સરકારે 1 મહિનાની પેરોલ મંજૂર કરી હતી. તે વખતે રામ રહીમ પોતાના બાગપત આશ્રમમાં ગયો હતો.

ઓકટોબર 2022માં રામ રહીમને 40 દિવસની પેરોલ મળી હતી. તે બરનાવા આશ્રમ ગયો હતો.

21 જાન્યુઆરી 2023ના દિવસે પણ રામ રહીમને 40 દિવસના પેરોલ મળ્યા હતા. ડેરા પ્રમુખ સતનામ જયંતિમાં સામેલ થયો હતો.

20 જુલાઇ 2023ના દિવસે 30 દિવસની પેરોલ મળી હતી તે ફરી બાગપત આશ્રમ ગયો હતો.

21 નવેમ્બર 2023 આજે 21 દિવસની પેરોલ મળી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.