જે ટ્રક પર હુમલો થયો તેમાં હતો ઇફ્તારનો સામાન હતો,ગ્રામજનો બોલ્યા-ઈદ નહીં મનાવીએ

જમ્મુ-કશ્મીરના પૂંછમાં ગુરુવારે (20 એપ્રિલના રોજ) સેનાના એક ટ્રક આતંકવાદી હુમલો થયો હતો. તેમાં 5 જવાન શહીદ થઈ ગયા. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે જ્યારે આ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો, એ સમયે સેનાના આ જવાન ટ્રકમાં પૂંછના એક ગામમાં થનારી ઇફ્તાર પાર્ટી માટે ફળ અને અન્ય સામાન લઈ જઈ રહ્યા હતા. આ ઇફ્તાર પાર્ટીમાં રોજેદારો સાથે એ ગામના પંચ અને સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ના જવાનોએ સૈંગોટ વિસ્તારમાં 20 એપ્રિલની સાંજે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ સ્થળો પર એવી ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતી રહે છે. આંતકી આ આયોજનને લઈને નારાજ હતા. એવો પણ રિપોર્ટ છે કે ઇફ્તાર પાર્ટીથી નારાજ થઈને આતંકીઓએ આ ષડયંત્ર રચ્યું.

ઇફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગ્રામજનો ખૂબ દુઃખી છે. જવાનોના મોતના દુઃખમાં સામેલ થયેલા ગામના લોકોએ આ વખતે ઈદ મનાવવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આતંકીઓનો સૌથી મોટો ડર એ છે કે લોકો સેનાને પોતાની મિત્ર ન સમજવા લાગે. એમ થવા પર તેઓ લોકોને ઉશ્કેરવામાં સફળ નહીં થઈ શકે. આ જ કારણ છે કે આતંકવાદીઓનો લોકોનું સેના સાથે હળવું-મળવું પસંદ આવી રહ્યું નથી.

સેના સાથે હળતા-મળતા લોકોને આતંકી શંકાની નજરે જુએ છે. સૈંગોટમાં થનારી ઇફ્તાર પાર્ટીને લઈને જાણકારી મળ્યા બાદ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો. જ્યારે સેનાનો ટ્રક ઇફ્તારનો સામાન લઈને કેમ્પ ફરી રહ્યો હતો. એ દરમિયાન લાગ જોઈને બેઠા આતંકીઓએ વાહનને નિશાનો બનાવ્યું. પહેલા ગોળીઓ ચલાવી અને પછી આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં RRના 5 જવાન કોન્સ્ટેબલ મનદીપ સિંહ, હરકિશન સિંહ, લાંસ નાયક કુલવંત સિંહ, સિપાહી સેવક સિંહ અને લાંસ નાયક દેબાશીષ બસવાલ શહીદ થઈ ગયા.

એક જવાન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે, જેની સારવાર સેનાની હૉસ્પિટલમાં ચાલી રહી છે. હુમલા બાદ સુરક્ષા બળે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રાખ્યું છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. હુમલાની જવાબદારી PAFF નામના સંગઠને લીધી છે. PAFF પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. જે જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપી ચૂક્યું છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.