જે ટ્રક પર હુમલો થયો તેમાં હતો ઇફ્તારનો સામાન હતો,ગ્રામજનો બોલ્યા-ઈદ નહીં મનાવીએ

જમ્મુ-કશ્મીરના પૂંછમાં ગુરુવારે (20 એપ્રિલના રોજ) સેનાના એક ટ્રક આતંકવાદી હુમલો થયો હતો. તેમાં 5 જવાન શહીદ થઈ ગયા. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે જ્યારે આ કાયરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો, એ સમયે સેનાના આ જવાન ટ્રકમાં પૂંછના એક ગામમાં થનારી ઇફ્તાર પાર્ટી માટે ફળ અને અન્ય સામાન લઈ જઈ રહ્યા હતા. આ ઇફ્તાર પાર્ટીમાં રોજેદારો સાથે એ ગામના પંચ અને સરપંચને પણ બોલાવવામાં આવ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય રાઇફલ્સ (RR)ના જવાનોએ સૈંગોટ વિસ્તારમાં 20 એપ્રિલની સાંજે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેના જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ સ્થળો પર એવી ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતી રહે છે. આંતકી આ આયોજનને લઈને નારાજ હતા. એવો પણ રિપોર્ટ છે કે ઇફ્તાર પાર્ટીથી નારાજ થઈને આતંકીઓએ આ ષડયંત્ર રચ્યું.

ઇફ્તાર પાર્ટી મનાવવા જઈ રહેલા જવાનો પર થયેલા હુમલાથી ગ્રામજનો ખૂબ દુઃખી છે. જવાનોના મોતના દુઃખમાં સામેલ થયેલા ગામના લોકોએ આ વખતે ઈદ મનાવવાની ના પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આતંકીઓનો સૌથી મોટો ડર એ છે કે લોકો સેનાને પોતાની મિત્ર ન સમજવા લાગે. એમ થવા પર તેઓ લોકોને ઉશ્કેરવામાં સફળ નહીં થઈ શકે. આ જ કારણ છે કે આતંકવાદીઓનો લોકોનું સેના સાથે હળવું-મળવું પસંદ આવી રહ્યું નથી.

સેના સાથે હળતા-મળતા લોકોને આતંકી શંકાની નજરે જુએ છે. સૈંગોટમાં થનારી ઇફ્તાર પાર્ટીને લઈને જાણકારી મળ્યા બાદ આતંકીઓએ હુમલાનો પ્લાન બનાવ્યો. જ્યારે સેનાનો ટ્રક ઇફ્તારનો સામાન લઈને કેમ્પ ફરી રહ્યો હતો. એ દરમિયાન લાગ જોઈને બેઠા આતંકીઓએ વાહનને નિશાનો બનાવ્યું. પહેલા ગોળીઓ ચલાવી અને પછી આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં RRના 5 જવાન કોન્સ્ટેબલ મનદીપ સિંહ, હરકિશન સિંહ, લાંસ નાયક કુલવંત સિંહ, સિપાહી સેવક સિંહ અને લાંસ નાયક દેબાશીષ બસવાલ શહીદ થઈ ગયા.

એક જવાન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે, જેની સારવાર સેનાની હૉસ્પિટલમાં ચાલી રહી છે. હુમલા બાદ સુરક્ષા બળે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રાખ્યું છે. આતંકીઓને શોધવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. હુમલાની જવાબદારી PAFF નામના સંગઠને લીધી છે. PAFF પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. જે જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપી ચૂક્યું છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.