રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ ન કરી શકાય, બોલવાની ટ્રેનિંગ આપે કોંગ્રેસ: BJP નેતા

મોદી સરનેમ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીને કોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કોંગ્રેસ પર હુમલાવર થઈ ગયા છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને પૂછ્યું કે રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ નહીં કરી શકાય? તમે તેને સારી રીતે બોલવા માટે ટ્રેનિંગ કેમ નહીં આપી શકો? એ તમારા નેતા છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, જો તેમણે આ કેસમાં માફી માગી લીધી હોત તો આ મામલો સમાપ્ત થઈ ગયો હોત. પ્રસિદ્ધ નેતાઓ અને સંગઠનોને ગાળો આપવી, બદનામ કરવા અને લગભગ સૌથી ખરાબ પ્રકારની ગાળો આપવી રાહુલ ગાંધીની જૂની ટેવ બની ગઈ છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણીમાં એક ટિપ્પણી કરી હતી કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે? આખા દેશમાં મોદી સરનેમ મોટાભાગે પછાત અને અતિ પછાતોનું હોય છે. તે ઘોર રૂપે આપત્તિજનક ટિપ્પણી હતી. નીચલી કોર્ટે તેમને 2 વર્ષની સજા આપી, તેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી, પરંતુ દોષસિદ્ધિને સ્ટે ન કરી.

ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી હોમવર્ક કરતા નથી. આજનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં પૂરા આચરણને પણ નોટિસ કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 કેસ છે. વીર સાવરકરના પૌત્રએ પણ તેમની ટિપ્પણીની લઈને કેસ કર્યો છે. OBCનું અપમાન કરવું કોંગ્રેસની ફિતરત છે. રાહુલ ગાંધીનો અહંકાર, લોકોની બેઈજ્જતી, અપમાન કરવાની ચાહત તેની સમસ્યાનું કારણ છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમને લઈને નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી પરંતુ નિર્ણય પર સ્ટેન ન લગાવ્યો.

તેની વિરુદ્ધ તેઓ ગુજરાત હાઇ કોર્ટ ગયા અને તેમનો પ્રયાસ એ જ હતો કે નીચલી કોર્ટના નિર્ણય પર અહી સ્ટે લગાવવામાં આવે અને આજે ગુજરાત હાઇ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, રાગદરબારી ભારતીય શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ ક્લાસિક રાગ છે, પરંતુ રાજનીતિમાં હું જ્યારે રાગદારબારી વગાડું છું તો બધા સૂર જ બગડી જાય છે. રાહુલ ગાંધી ઘણી વખત દેશ, સંવિધાન, સુપ્રીમ કોર્ટથી લઈને મીડિયા સુધી પર સવાલ ઊભા કરે છે. તો રાહુલની ફિતરત જ એવી છે.   

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.