રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ ન કરી શકાય, બોલવાની ટ્રેનિંગ આપે કોંગ્રેસ: BJP નેતા

મોદી સરનેમ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પુનર્વિચાર અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીને કોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કોંગ્રેસ પર હુમલાવર થઈ ગયા છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને પૂછ્યું કે રાહુલ ગાંધીને નિયંત્રિત કેમ નહીં કરી શકાય? તમે તેને સારી રીતે બોલવા માટે ટ્રેનિંગ કેમ નહીં આપી શકો? એ તમારા નેતા છે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે, જો તેમણે આ કેસમાં માફી માગી લીધી હોત તો આ મામલો સમાપ્ત થઈ ગયો હોત. પ્રસિદ્ધ નેતાઓ અને સંગઠનોને ગાળો આપવી, બદનામ કરવા અને લગભગ સૌથી ખરાબ પ્રકારની ગાળો આપવી રાહુલ ગાંધીની જૂની ટેવ બની ગઈ છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ વર્ષ 2019ની ચૂંટણીમાં એક ટિપ્પણી કરી હતી કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે? આખા દેશમાં મોદી સરનેમ મોટાભાગે પછાત અને અતિ પછાતોનું હોય છે. તે ઘોર રૂપે આપત્તિજનક ટિપ્પણી હતી. નીચલી કોર્ટે તેમને 2 વર્ષની સજા આપી, તેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી, પરંતુ દોષસિદ્ધિને સ્ટે ન કરી.

ભાજપે કહ્યું કે, રાહુલ ગાંધી હોમવર્ક કરતા નથી. આજનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધીના માનહાનિ કેસમાં પૂરા આચરણને પણ નોટિસ કરવામાં આવ્યું છે. કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધી વિરુદ્ધ ઓછામાં ઓછા 10 કેસ છે. વીર સાવરકરના પૌત્રએ પણ તેમની ટિપ્પણીની લઈને કેસ કર્યો છે. OBCનું અપમાન કરવું કોંગ્રેસની ફિતરત છે. રાહુલ ગાંધીનો અહંકાર, લોકોની બેઈજ્જતી, અપમાન કરવાની ચાહત તેની સમસ્યાનું કારણ છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરનેમને લઈને નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેની વિરુદ્ધ તેઓ સેશન કોર્ટ ગયા. સેશન કોર્ટે તેમને બેલ તો આપી દીધી પરંતુ નિર્ણય પર સ્ટેન ન લગાવ્યો.

તેની વિરુદ્ધ તેઓ ગુજરાત હાઇ કોર્ટ ગયા અને તેમનો પ્રયાસ એ જ હતો કે નીચલી કોર્ટના નિર્ણય પર અહી સ્ટે લગાવવામાં આવે અને આજે ગુજરાત હાઇ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, રાગદરબારી ભારતીય શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ ક્લાસિક રાગ છે, પરંતુ રાજનીતિમાં હું જ્યારે રાગદારબારી વગાડું છું તો બધા સૂર જ બગડી જાય છે. રાહુલ ગાંધી ઘણી વખત દેશ, સંવિધાન, સુપ્રીમ કોર્ટથી લઈને મીડિયા સુધી પર સવાલ ઊભા કરે છે. તો રાહુલની ફિતરત જ એવી છે.   

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.