બાળકની જેમ પાલન-પોષણ કર્યું, કૂતરાની હત્યા પર FIR, કરાવ્યું પોસ્ટમોર્ટમ

PC: dnaindia.com

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના કૂતરાને ગોળી મારવાનો આરોપ પાડોશી યુવક પર લગાવતા હત્યાનો કેસ નોંધાવ્યો છે. પીલીભીત પોલીસ દ્વારા ફરિયાદ નોંધ્યા બાદ કૂતરાના શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. કૂતરાની માલકિનનું કહેવું છે કે, તે પોતાના કૂતરાને 12 વર્ષથી બાળકની જેમ પાલન-પોષણ કરી રહી હતી અને હવે તે હત્યા કરી દેવામાં આવી.

તેણે કહ્યું કે, બધા પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉત્તર પ્રદેશમાં જ ઉંદરની હત્યાનો કેસ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાં એક યુવક પર ઉંદરને ઈંટ સાથે બાંધીને નાળામાં ડૂબાડીને હત્યા કરવાનો કેસ એનિમલ લવરે નોંધાવ્યો હતો, જેમાં ગયા અઠવાડિયે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. હવે બદાયૂથી એક જિલ્લો છોડીને આવેલા પીલીભીતમાં કૂતરાની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના પીલીભીત જિલ્લાના પૂરનપુર વિસ્તારની કિરણ વિહાર કોલોનીની છે. કિરણ વિહારના રહેવાસી નીરજ જૈનની પત્ની નીલમ જૈને એક દેશી પ્રજાતિનો કૂતરો પાળી રાખો હતો, જેનું નામ સોનૂ રાખ્યું હતું. લગભગ 12 વર્ષથી આ દંપતી કૂતરાનું પાલન-પોષણ કરી રહ્યું હતું. મંગળવારે કૂતરાના શબને લઈને નીલમ જૈન પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે પોલીસને લેખિતમાં ફરિયાદ કરી, પોતાના પાડોશી યુવક અનુરાગ તોમર પર કૂતરાની હત્યાનો પોતાના પાડોશી યુવક અનુરાગ તોમર પર કૂતરાની હત્યાનો આરોપ લગાવ્યો હતો.

નીલમ જૈને પોલીસને જણાવ્યું કે, હું પોતાના પાલતુ કૂતરા સોનૂને 12 વર્ષથી પાળી રહી હતી. મારા કૂતરાએ ક્યારેય કોઈને બચકા ભર્યા નથી. તેને રેબિજના ઇન્જેક્શન પણ લાગ્યા હતા. મારા પાડોશી અનુરાગ તોમર મારા કૂતરાથી કાટ ખાતો હતો કેમ કે તેના બંને કૂતરાથી કોલોનીવાળા પરેશાન છે. સોમવારે રાત્રે મારો કૂતરો દુઃખાવાથી બૂમો પાડતો ઘરની અંદર લોહીથી લથબથ આવ્યો. તેના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું. હું બહાર નીકળી તો ત્યાં માત્ર અનુરાગ તોમર હતો. તેણે અરુરાગ પર પોતાના કૂતરાને ગોળી મારીને તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો.

પોલીસે મંગળવારે કૂતરાના શબને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગોળી લગ્યાની પુષ્ટિ થયા બાદ બુધવારે અનુરાગ તોમર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. અનુરાગ આ ઘટના બાદ જ ફરાર છે. પૂરનપુરના CO સુનિલ દત્તે પણ કૂતરાની હત્યાની ફરિયાદના આધાર પર કેસ નોંધવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, કૂતરાના શબનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp