મસ્જિદમાં બેસીને લખવામાં આવ્યું હતું રામચરિતમાનસ, ધારાસભ્યના નિવેદન પર હોબાળો

રામચરિતમાનસ પર વિવાદિત બોલ બંધ થઈ રહ્યા નથી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય રીતલાલ યાદવે એમ કહીને હોબાળો મચાવી દીધો કે, રામચારિતમાસન મસ્જિદમાં બેસીને લખવામાં આવી હતી. બસ ભાજપને અવસર મળી ગયો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ નીતિશ કુમારથી લઈને લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર કટાક્ષ કર્યો. હોબાળો મચતો જોઈને જનતા દળ યુનાઈટેડ (JDU)એ રીતલાલ યાદવના નિવેદનથી પલ્લું ઝાડી લીધું.

બિહારમાં આ વર્ષની શરૂઆતમાં રામચરિતમાનસ પર નિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે વિવાદ ઉત્પન્ન કરી દીધો હતો. ચંદ્રશેખર RJD કુટુંબ સાથે સંબંધ રાખે છે અને આ વિવાદ લાંબા સમય સુધી ચાલ્યો. હવે વધુ એક RJD ધારાસભ્ય રીતલાલ યાદવે કહ્યું કે, રામચરિતમાનસ, મસ્જિદમાં બેસીને લખવામાં આવી હતી. રીતલાલ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે લોકો એક-બીજા સાથે ઝઘડો કરાવવામાં લાગ્યા છે. લોકો તો રામ મંદિરની ચર્ચા કરે છે.

તેમણે કહ્યું કે, ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે, રામચરિતમાનસ મસ્જિદમાં બેસીને લખવામાં આવી. એ સમયે આપણું હિન્દુત્વ જોખમમાં નહોતું. ભાજપે તેમના નિવેદન પર RJDના લોકોને વિકૃત માનસિકતાવાળા બતાવ્યા હતા. RJD ધારાસભ્ય રીતલાલ યાદવે કહ્યું કે, જ્યારે આટલા વર્ષ મુઘલોએ રાજ કર્યું, ત્યારે હિન્દુત્વ જોખમમાં નહોતું. જ્યારે મુસ્લિમ છોકરીએ ભાગવત કથા કહી, ત્યારે કોઈએ કંઈ ન કહ્યું. એ સમયે તેમને કેમ નહીં દેશમાંથી ભગાવી દીધા.

RJD ધારાસભ્યએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, તમે સાચા હિન્દુ બનવા માગો છો, તો પોતાની પાર્ટીથી બધા મુસ્લિમોને ભગાવી દો. ભાજપ બિહાર અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ ટ્વીટ કરીને આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, RJDના લોકો વિકૃત અને તુષ્ટિકરણની માનસિકતાથી ગ્રસિત છે. રાજનૈતિક લાભ માટે હિન્દુ ધર્મની ભાવનાઓને દુઃખી કરવાથી પણ બાજ આવતા નથી. RJD ધારાસભ્યના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક ગણાવ્યું. બિહાર ભાજપ પ્રવક્તા પ્રેમ રંજન પટેલે કહ્યું કે, દુનિયાના સૌથી પુરાતન ધર્મ હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ બોલવું અજ્ઞાનતાનો પરિચાયક છે. રામચરિતમાનસ પર નિવેદનબાજી કરનારા પહેલા જાણકારી હાંસલ કરે.

ભાજપન નેતા અરવિંદ સિંહે પણ નીતિશ સરકાર પર જુબાની હુમલો કરતા કહ્યું કે, તુલસીદાસે રામચરિતમાનસ ક્યાં લખી, તેઓ બધુ જાણે છે. નીતિશ કુમારે જ્યારે લાલુ પ્રસાદ યાદવની પાઠશાળામાં નામાંકન કરાવ્યું છે ત્યારથી નેતા આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. જે લોકો એમ કહી રહ્યા છે કે તેઓ લાલુ યાદવ ચરવાહા વિદ્યાલયથી ભણ્યા છે. જેના હેડમાસ્ટર તજસ્વી યાદવ રહ્યા હશે. RJD ધારાસભ્ય રીતલાલના આ નિવેદનથી મામલો ગરમ થઈ ગયો છે. JDU પ્રવક્તા અભિષેક ઝાએ કહ્યું કે એવા નિવેદનોનો જનતામાં ખોટો સંદેશ જાય છે. તેનાથી બચવું જોઈએ. ધર્મ લોકોનો અંગત મામલો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.