RPF જવાનની અંદર ભારોભર નફરત ભરેલી હતી, એ માનસિક રીતે બીમાર નહોતો: રેલવે પોલીસ

જયપુર મુંબઇ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં 31 જુલાઇએ RPF જવાન ચેતન સિંહે 4 લોકોની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ગર્વમેન્ટ રેલવે પોલીસ (GRP)ના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ વેબસાઇટ ધ ક્વીન્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, GRPએ ચેતન સિંહને મુંબઈની બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચેતન સિંહ કોઈપણ પ્રકારની માનસિક બીમારીનો સામનો કરી રહ્યા નથી, તેમજ તેની કોઈ સારવાર પણ કરવામાં આવી નથી.

રેલવેના વરિષ્ઠ GRP અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી RPF અધિકારી વિરુદ્ધ IPCની વધારાની કલમોમાં 363 (અપહરણ), 341 (ખોટી રીતે અટકાવવા) અને 342 (ખોટી રીતે કેદ) નો સમાવેશ થાય છે.

31 જુલાઈએ જયપુર-મુંબઈ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર ચાર લોકોની ગોળી મારીને હત્યા કર્યાના એક અઠવાડિયા પછી, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલ ચેતન સિંહ પર IPCની ચાર વધારાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં ધર્મના આધાર પર દુશ્મનીને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.

GRPના એક વરિષ્ઠ અધિકારીએ ધ ક્વીન્ટને કહ્યુ હતું કે, આ ઘટના એક હેટ ક્રાઇમ હતી, મતલબ કે આરોપીમાં ધિક્કારની ભાવના હતી.આમાં IPCની કલમ 153A (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) સહિત IPCની વધારાની કલમોનો સમાવેશ થાય છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મુસાફરો દ્વારા શૂટ કરાયેલા ઓછામાં ઓછા 15 વીડિયોને જોડીને આ કલમ ઉમેરવામાં આવી હતી.હતી જેને GRP દ્વારા સોમવારે સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રેનનો એક કથિત વિડિયો, કથિત રીતે ઘટનાની થોડી મિનિટો પછી શૂટ કરવામાં આવ્યો હતો, તે Online સામે આવ્યો હતો જેમાં RPF જવાન ચેતન સિંહ એવું કહી રહ્યો હતો કે, જો તમે ભારતમાં રહેતા માંગતા હો, માત્ર મોદી અને યોગીને જ વોટ આપજો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ દરમિયાન, આરોપીના વકીલોએ દલીલ કરી હતી કે તેને એંગ્ઝાઇટીનો એટેક આવ્યો હતો અને ગુસ્સામાં તેણે આવું કર્યું હતું. સિંહના વકીલોએ દાવો કર્યો હતો કે તેમની માનસિક સ્થિતિ એક વર્ષથી વધુ સમયથી સ્થિર નથી અને તેમની સારવાર ચાલી રહી છે

ચેતનને ગુસ્સાની સમસ્યા હતી અને તે ભૂતકાળમાં પણ નાની નાની દલીલો પર તેને ગુસ્સો આવતો અને તેની કમાન ગુમાવી બેસતો હતો.પરંતુ તેણે ક્યારેય આ સ્તરનું કંઈ કર્યું ન હતું. કોઈએ વિચાર્યું ન હતું કે તે કોઈની હત્યા કરી શકે છે."કોર્ટે RPF અધિકારી ચેતન સિંહની પોલીસ કસ્ટડી 11 ઓગસ્ટ સુધી લંબાવી છે

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.