અશોક ગેહલોતનો BJP અને RSS પર ગંભીર આરોપ,હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં નહીં ચાલશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધીને આરોપ લગાવતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, એવા સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP)  પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગેહલોતે કહ્યું કે હિંદુત્વનો એજન્ડા રાજસ્થાનમાં ચલાવવા દઈશું નહીં. બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું  છે કે અમારી સરકાર આવશે તો નફરત ફેલાવનારી સંસ્થાઓ ભલે પછી તે બજરંગ દળ હોય તેની પર પ્રતિબંધ મુકવામાં આવશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાલોરના સર્કીટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, ભાજપ અને RSS રમખાણો કરાવે છે, લોકોને ધર્મના નામ પર ભડકાવે છે. તેમણે કહ્યું કે ભાજપ ગાયને લઇને પણ રાજકરાણ કરે છે, જ્યારે ગાયની સેવામાં કોંગ્રેસ હંમેશાં આગળ રહી છે. અમે ગાયના નામ પર મતની વાતો નથી કરતા, તો શું અમે હિંદુ નથી?

અશોક ગેહલોતે આગળ કહ્યું કે, કેટલાંક લોકો માત્ર રામંદિરનું રાજકારણ કરવા માટે હિંદુ બની ગયા છે. તેમને હિંદુ ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી. ગેહલોતે કહ્યું કે, ભાજપનો હિંદુત્વનો એજન્ડા અમે રાજસ્થાનમાં ચાલવા દઇશું નહીં.

મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શાજાપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં જે કોઇ પણ નફરત ફેલાવવાનું કામ કરશે તેની પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. એના માટે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ છે. ભલે પછી બજરંગ દળ હોય કે અન્ય સંસ્થા હોય, પ્રતિબંધ મુકી દેવાશે.

કમલનાથે કહ્યુ કે ઇંદોરમાં પોલીસે બજરંગ દળ પર જે કાર્યવાહી કરી છે તેનું કોંગ્રેસ સમર્થન કરે છે, પરંતુ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસના કહેવાથી પોલીસે બજરંગ દળના કાર્યકરોની પિટાઇ નહોતી કરી. કોંગ્રેસ બજરંગ દળના વિરોધમાં નથી કે તેમને ટાર્ગેટ કરવાની પણ કોંગ્રેસની મનસા નથી. પરંતુ  જે પ્રદેશની શાંતિભંગ કરશે, નફરત ફેલાવશે તેમની પર પ્રતિબંધ મુકાવવો જોઇએ.

આ પહૈલાં તાજેતરની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મુકવાની વાત કરી હતી, એ પછી ભાજપે આ વાતનો મુદ્દો બનાવ્યો હતો અને બજરંગ દળના પ્રતિબંધનો મુદ્દો બજરંગ બલીના અપમાન સાથે જોડ્યો હતો, જો કે કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળ્યો નહોતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.