સ્વતંત્રતા સંગ્રામમાં RSSનું કોઈ યોગદાન નથી:CM નીતિશ કુમારે સંઘ પર પ્રહારો કર્યા

બિહારના CM નીતિશ કુમારે એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું. CM નીતિશ કુમારે કહ્યું કે, RSSને સ્વતંત્રતા સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. આ સાથે PM નરેન્દ્ર મોદીને નવા દેશના નવા પિતા બનાવવા પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.

CM નીતીશ કુમારે કહ્યું, 'તેમને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કોઈ લેવાદેવા નથી. શું RSSનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોઈ યોગદાન હતું? અમારા પિતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં હતા, અમે તેમની પાસેથી સ્વતંત્રતા સંગ્રામની દરેક વાત જાણી હતી. બાપુના યોગદાનને તો આપણે ક્યારેય ભૂલી ન શકીએ. 'નવા રાષ્ટ્રપિતા' વિશે અમને સાંભળવા મળ્યું છે, ન્યૂઝ પેપરોમાં વાંચ્યું છે. બતાવો 'નવા ભારત'ના 'નવા પિતા' એ દેશ માટે શું કર્યું?, બતાવો, ભારત ક્યાં આગળ વધ્યું છે. એટલું જ ને કે, નવી ટેક્નૉલૉજી આવી, પરંતુ તેનો પણ તેઓએ બળપૂર્વક ઉપયોગ કર્યો.'

આ પહેલા રાહુલ ગાંધીની PM પદની ઉમેદવારી અંગે CM નીતિશ કુમારે કહ્યું હતું કે, વિપક્ષ વતી અમને રાહુલ ગાંધીના PM તરીકેના ચહેરાથી કોઈ સમસ્યા નથી. આ માટે વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે વાત કરશે અને તેમને એક કરવાની જરૂર છે. અમને કોઈ સમસ્યા નથી. બેઠક કરીને ચર્ચા કરીશું. CM નીતિશ કુમારે કહ્યું કે, પાર્ટીના કાર્યક્રમનું આયોજન કરવું દરેકનું પોતાનું કામ છે. અમને પાર્ટીના કામથી કોઈ મતલબ નથી. જેવા આ લોકો તેમના કામમાંથી મુક્ત થઈ જશે. ત્યાર પછી ફરીથી બેઠક બોલાવીશું.

CM નીતિશ કુમારે કહ્યું કે, અમે બેઠકમાં એકબીજા સાથે વાત કરીશું અને ભવિષ્ય અંગે નિર્ણય કરીશું. તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અત્યારે પોતપોતાના કાર્યક્રમ ચાલે છે. CM  નીતીશ કુમારે કહ્યું કે, તેમને રાહુલ ગાંધીને PM પદના ઉમેદવાર બનાવે તેમાં કોઈ વાંધો નથી. જો કે, તેમણે ફરી વખત કહ્યું કે, તેઓ દાવેદાર નથી.

અહીં તમને જણાવી દઈએ કે, પૂર્વ સાંસદ CM અને કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 2024ની ચૂંટણીમાં વિપક્ષ તરફથી PM પદના સંયુક્ત ઉમેદવાર હશે. ભારત જોડો યાત્રા માટે કમલનાથે ખુલ્લેઆમ રાહુલ ગાંધીના વખાણ કર્યા અને કહ્યું, તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ PM પદના ઉમેદવાર પણ હશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.