..હું એટલે મંદિર જાઉ છુ,ISRO ચીફે જણાવ્યું સાયન્સ અને આધ્યાત્મિકતા વચ્ચેનું અંતર

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) પ્રમુખ એસ. સોમનાથ રવિવારે કેરળની રાજધાની તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્ણમિકવું વિસ્તારમાં ઉપસ્થિત ભદ્રકાળી મંદિરમાં પૂજા કર્યા બાદ તેમણે સંવાદદાતાઓ સાથે વાતચીત પણ કરી. તેમણે કહ્યું કે, હું એક એક્સપ્લોરર છું. હું ચંદ્રમા સાથે જોડાયેલી જાણકારીઓ શોધું છું. વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેની જાણકારી મેળવવી, મારા જીવનની યાત્રાનો હિસ્સો છે એટલે હું ઘણા મંદિરોમાં જાઉ છું અને મેં ઘણા ધર્મગ્રંથ વાંચ્યા છે.

તેમણે આગળ કહ્યું કે, હું આ બ્રહ્માંડમાં પોતાના અસ્તવિત્વ અને પોતાના જીવનનો અર્થ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું. આપણી સંસ્કૃતિનો એ એક હિસ્સો છે કે આપણે પોતાની અંદર અને બહારની દુનિયાની શોધ કરીએ. ISRO ચીસ એસ સોમનાથે કહ્યું કે, હું બાહ્ય દુનિયા માટે સાયન્સ પર નિર્ભર છું અને આત્મજ્ઞાન અને આંતરિક દુનિયા માટે મંદિર જાઉ છું. આ અગાઉ એસ. સોમનાથે કહ્યું હતું કે, ભારત સ્પેસ સેક્ટરમાં વધુ ઘણી બુલંદીઓ સ્પર્શી શકે છે, જેના માટે તેમને રોકાણ અને સહયોગની જરૂરિયાત છે.

તેમણે કહ્યું કે, ‘ભારત પાસે ચંદ્રમા, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ આપણે પોતાનો આત્મવિશ્વાસ વધારવાની જરૂરિયાત છે. આપણે હજુ વધારે રોકાણ કરવાની જરૂરિયાત છે અને અંતરીક્ષ ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ. ISRO આખા દેશનો વિકાસ થવો જોઈએ, આ જ અમારું મિશન છે. અમે એ વિઝનને પૂરું કરવા માટે તૈયાર છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને આપ્યું હતું.’ એસ ઓમનાથે શનિવારે એમ પણ કહ્યું હતું કે, દેશનું પહેલું સૌર મિશન આદિત્ય L1 તૈયાર છે અને તેને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરવામાં આવશે.

ચંદ્રયાન-3ના ટચડાઉન પોઈન્ટને શિવશક્તિ નામ રાખવા પર ISROના ચેરમેન એસ. સોમનાથે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અર્થ એ રીતે બનાવ્યો જે આપણાં બધા માટે જરૂરી છે. મને લાગે છે કે તેમ કંઈ ખોટું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો અર્થ પણ બતાવ્યો છે. તેમણે કહ્યું કે, શિવશક્તિ અને તિરંગા બંને ભારતીય નામ છે. આપણે જે કરી રહ્યા છીએ, તેનું એક મહત્ત્વ હોવું જોઈએ અને દેશના વડાપ્રધાન હોવાના સંબંધે આ નામ રાખવાનો વિશેષાધિકાર છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.