સચિન પાયલટ BJPમાં થશે સામેલ કે બનાવશે નવી પાર્ટી? સરવેમાં ચોંકાવનારા પરિણામ

શું સચિન પાયલટ કોંગ્રેસ પાર્ટી સામે બળવો કરશે? સચિન પાયલટ નવી પાર્ટી બનશે? કે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે હાથ મળાવી લેશે? આ બધા સવાલ રાજસ્થાનની રાજનીતિમાં રસ ધરાવતા લોકોના મનમાં શરૂ થઈ ગયા છે. રાજસ્થાનમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેની દીવાલ રોજબરોજ વધતી જઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે સચિન પાયલટ પોતાના પિતાની પુણ્યતિથિના દિવસે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. એવામાં એક સરવેમાં ચોંકાવનારા પરિણામ સામેલ આવ્યા છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે સરવે શું કહે છે.

એક ન્યૂઝ ચેનલ માટે C વૉટરે સર્વે કર્યું છે. સરવેમાં સચિન પાયલટને લઈને રાજસ્થાનના લોકોને 2 સવાલ પૂછવામાં આવ્યા હતા. પહેલો સવાલ કે, શું સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે? અને બીજો સવાલ એ કે, શું પાયલટ ભાજપમાં સામેલ થશે? આ બંને સવાલો પર 3 અલગ અલગ પ્રકારના લોકો પાસેથી જવાબ માગવામાં આવ્યા. પહેલા તેમને જે ભાજપના સમર્થક છે, બીજા જે કોંગ્રેસ સમર્થક છે અને ત્રીજા રાજસ્થાનના સામાન્ય લોકોને.

આ સવાલ પર જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. કોંગ્રેસ સમર્થકોમાંથી 14 ટકા લોકોએ કહ્યું કે, સચિન પાયલટ ભાજપમાં સામેલ થશે. તો ભાજપ સમર્થકોમાંથી લગભગ 48 ટકાએ એમ માન્યું કે, સચિન પાયલટ ભગવો ધારણ કરશે. રાજસ્થાનની સામાન્ય જનતામાંથી પણ 35 ટકા લોકોએ એમ કહ્યું કે, સચિન પાયલટ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ જશે. શું સચિન પાલયટ નવી પાર્ટી બનાવશે? આ સવાલ પર 20 ટકા રાજસ્થાનના સામાન્ય લોકોએ કહ્યું કે, હા, સચિન પાયલટ નવી પાર્ટી બનાવશે.

તો 22 ટકા ભાજપના સમર્થકોએ આ વાત માટે હકારમાં જવાબ આપ્યો. હેરાન કરનારી વાત એ છે કે લગભગ 17 ટકા કોંગ્રેસે સપોર્ટરોએ પણ કહ્યું કે, સચિન પાયલટ નવી પાર્ટી બનાવવાના છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેની ખાઈ વધતી જ જઈ રહી છે. બંને દિગ્ગજ નેતાઓના મન મેળ કરાવવા માટે કોંગ્રેસ હાઇકમાન ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યું છે. પાયલટ, મુખ્યમંત્રી અશોક ગેહલોતને સવાલ પૂછતા અનશન પર પણ બેસી ગયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ એક યાત્રા પણ કાઢી હતી. ચૂંટણીમાં બંને નેતાઓ વચ્ચેની આ નારાજગી ક્યાંક નુકસાન ન પહોંચાડી દે એટલે ગત દિવસોમાં દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક પણ થઈ હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.