સચિન પાયલટ મોટો ધડાકો કરવાની તૈયારીમાં. પિતાની જેમ જ ઇતિહાસનું પુનરાવર્તન કરશે

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં થોડા જ મહિના બાકી છે અને આ દરમિયાન કોંગ્રેસનો આંતરિક કલેશ વિભાજન સુધી પહોંચી શકે છે. એવા સમાચાર મળી રહ્યા છે બળવાખોર તેવર અપનાવી રહેલા સચિન પાયલટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેળ બેસાડવામાં હાઇકમાન નિષ્ફળ રહ્યું છે અને હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ નવો માર્ગ નક્કી કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, સચિન પાયલટે નક્કી કરી લીધું છે છે. સચિન પાયલટ ‘પ્રગતિશીલ કોંગ્રેસ’ નામથી નવી પાર્ટી બનાવી શકે છે. આ નવી પાર્ટીની જાહેરાત 11 જૂનના રોજ જયપુરમાં કરવામાં આવશે.

આ દિવસે સચિન પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ પણ છે. કોંગ્રેસ હાઇકમાને ગત દિવસોમાં દિલ્હી બોલાવીને અશોક ગહલોત અને સચિન પાયલટ સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો હતો કે, સચિન પાયલટ અને અશોક ગેહલોત સાથે કામ કરશે. એમ પણ કહેવામાં આવ્યું કે, ફોર્મ્યૂલા હેઠળ સચિન પાયલટને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સચિન પાયલટ કેમ્પ તરફથી એવા સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે અને તેમણે કહ્યું કે, તેઓ પોતાના મુદ્દાઓ પર અડગ છે.

હવે ચર્ચા છે કે સચિન પાયલટ 11 જૂનના રોજ જયપુરમાં એક રેલી કરશે અને હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. જો સચિન પાયલટ નવી પાર્ટી બનાવે છે તો એ વાત પર પણ નજર હશે કે કોંગ્રેસના કેટલા ધારાસભ્ય તેમની સાથે જાય છે? એ સિવાય અશોક ગેહલોતની સરકાર સામે કોઈ જોખમ ઉત્પન્ન થશે કે નહીં? આ અગાઉ વર્ષ 2020માં પણ જ્યારે સચિન પાયલટે બળવાખોર તેવર અપનાવ્યાં હતા તો તેમની સાથે 19 ધારાસભ્ય હતા.

માનવામાં આવી રહ્યું છે કે, આ વખત પણ ઘણા લોકો તેમની સાથે રહી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી રહેલા સચિન પાયલટે પોતાની જ સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે, જેમાંથી એક એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વસુંધરા સરકાર દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરાવવામાં આવી નથી.

આ આરોપોને લઈને સચિન પાયલટે 11 માર્ચના રોજ યાત્રા પણ શરૂ કરી હતી. 125 કિલોમીટરની અજમેરથી જયપુરની યાત્રા દરમિયાન સચિન પાયલટે 15 દિવસોની ડેડલાઇન પણ આપી હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે વાત ન બની શકી. સચિન પાયલટનું કહેવું હતું કે, જો તેમની માગ સ્વીકાર ન કરવામાં આવી તો આખા રાજ્યમાં આંદોલન કરશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.