વાયુસેનાના જવાનનું નિધન, હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા

ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા અને ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપતા એક જવાનનું નિધન થયું છે. આ જવાનના હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને નવોઢાની હાથની મહેંદીનો કલર પણ સુકાયો નહોતો તે પહેલાં પતિએ મોતની વાટ પકડી લેતા દુલ્હનને આઘાત લાગ્યો હતો. જ્યારે જવાનના મોતના સમાચાર પત્નીએ સાંભળ્યા તો તેણી બેહોશ થઇ ગઇ હતી.સેનાના જવાનના મોતના સમાચર વાયુવેગે પ્રસરી જતા લોકો મોટી સંખ્યામાં જવાનના ઘર પાસે એકઠાં થયા હતા. લોકો પરિવારને આશ્વાસન આપી રહ્યા હતા.

મથુરાના રાયામાં રહેતી વાયુસેનાના જવાનના હજુ 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને તેનું આજે મોત થતા પરિવારના માથે દુખનો પહાડ તુટી પડ્યો હતો. નવોઢા તો આ સમાચાર સાંભળીને બેભાન થઇ ગઇ હતી.

રાયા ગામમના ગૈયરામાં રહેતા રણવીર સિંહને 3 પુત્રો હતા,જેમાંથી બીજા નંબરનો પુત્ર અજય ઉર્ફે વિપિન 2010માં ઇન્ડિયન એરફોર્સમાં ભરતી થયો હતો. અજય સિંહની પોસ્ટિંગ અત્યારે આગ્રામાં હતી. અજય સિંહના 22 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા અને લગ્ન થયા પછી તેની તબિયત બગડી ગઇ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે અજય સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. મોડી સાંજે સુધી અજયનો મૃતદેહ ગામ પહોંચ્યો નહોતો. પરિવારજનોએ કહ્યું કે દિલ્હીમાં પોસ્ટમોર્ટમ પછી બોડી આપવામાં આવશે. જાણવા મળેલી વિગત મુજબ અજયને પહેલા કોઇ બિમારી નહોતી અને અચાનક તેની કિડની અને લીવર ફેઇલ થઇ ગયા હતા.

અજયના લગ્ન શિવાની સાથે થયા હતા અને શિવાની માટે આ વસમો આઘાત હતો કારણકે હજુ તો તેના હાથની મહેંદી પણ નહોતી સુકાઇ અને હજુ સુધી તેણે તેના પતિ સાથે પોતના સપનાની વાત પણ નહોતી કરી. 8 જ દિવસમાં પતિએ મોતની વાટ પકડી એ વાત કોઇ પણ યુવતી માટે આઘાત સમાન હોય છે. શિવાની માટે મોટો આઘાત એ પણ હતો કે દરેક કન્યાનું પતિ સાથે હનીમુન પર જવાનું સપનું હોય છે અને શિવાની અને અજય હજુ હનીમુન પર જવા માટે વિચારી રહ્યા હતા તે પહેલાં જ તેમની જોડી તુટી ગઇ હતી.

અજયના પરિવાર માટે પણ આઘાત જનક સમાચાર હતા, કારણકે પરિવારનું સપનું હતું કે અજય ઇન્ડિયન એરફોર્સમાં આગળ વધે. પરંતુ અજયને અચાનક જ કાળ ભરખી ગયો અને તેના અને પરિવારના સપના ચકનેચૂર થઇ ગયા.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.