વાયુસેનાના જવાનનું નિધન, હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા

ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા અને ઇન્ડિયન એરફોર્સમાં સેવા આપતા એક જવાનનું નિધન થયું છે. આ જવાનના હજુ તો 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને નવોઢાની હાથની મહેંદીનો કલર પણ સુકાયો નહોતો તે પહેલાં પતિએ મોતની વાટ પકડી લેતા દુલ્હનને આઘાત લાગ્યો હતો. જ્યારે જવાનના મોતના સમાચાર પત્નીએ સાંભળ્યા તો તેણી બેહોશ થઇ ગઇ હતી.સેનાના જવાનના મોતના સમાચર વાયુવેગે પ્રસરી જતા લોકો મોટી સંખ્યામાં જવાનના ઘર પાસે એકઠાં થયા હતા. લોકો પરિવારને આશ્વાસન આપી રહ્યા હતા.

મથુરાના રાયામાં રહેતી વાયુસેનાના જવાનના હજુ 8 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને તેનું આજે મોત થતા પરિવારના માથે દુખનો પહાડ તુટી પડ્યો હતો. નવોઢા તો આ સમાચાર સાંભળીને બેભાન થઇ ગઇ હતી.

રાયા ગામમના ગૈયરામાં રહેતા રણવીર સિંહને 3 પુત્રો હતા,જેમાંથી બીજા નંબરનો પુત્ર અજય ઉર્ફે વિપિન 2010માં ઇન્ડિયન એરફોર્સમાં ભરતી થયો હતો. અજય સિંહની પોસ્ટિંગ અત્યારે આગ્રામાં હતી. અજય સિંહના 22 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા અને લગ્ન થયા પછી તેની તબિયત બગડી ગઇ હતી અને દિલ્હીની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. ગુરુવારે અજય સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. મોડી સાંજે સુધી અજયનો મૃતદેહ ગામ પહોંચ્યો નહોતો. પરિવારજનોએ કહ્યું કે દિલ્હીમાં પોસ્ટમોર્ટમ પછી બોડી આપવામાં આવશે. જાણવા મળેલી વિગત મુજબ અજયને પહેલા કોઇ બિમારી નહોતી અને અચાનક તેની કિડની અને લીવર ફેઇલ થઇ ગયા હતા.

અજયના લગ્ન શિવાની સાથે થયા હતા અને શિવાની માટે આ વસમો આઘાત હતો કારણકે હજુ તો તેના હાથની મહેંદી પણ નહોતી સુકાઇ અને હજુ સુધી તેણે તેના પતિ સાથે પોતના સપનાની વાત પણ નહોતી કરી. 8 જ દિવસમાં પતિએ મોતની વાટ પકડી એ વાત કોઇ પણ યુવતી માટે આઘાત સમાન હોય છે. શિવાની માટે મોટો આઘાત એ પણ હતો કે દરેક કન્યાનું પતિ સાથે હનીમુન પર જવાનું સપનું હોય છે અને શિવાની અને અજય હજુ હનીમુન પર જવા માટે વિચારી રહ્યા હતા તે પહેલાં જ તેમની જોડી તુટી ગઇ હતી.

અજયના પરિવાર માટે પણ આઘાત જનક સમાચાર હતા, કારણકે પરિવારનું સપનું હતું કે અજય ઇન્ડિયન એરફોર્સમાં આગળ વધે. પરંતુ અજયને અચાનક જ કાળ ભરખી ગયો અને તેના અને પરિવારના સપના ચકનેચૂર થઇ ગયા.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.